કાર્યવાહી / સુશાંતને ન્યાય અપાવવા હવે દેશના ટૉપ વકીલ મેદાનમાં, આ અભિનેત્રીની મુશ્કેલી વધી શકે

Sushant Singh Rajput case Bihar government to file caveat through Mukul Rohatgi in supreme court

ભૂતપૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગી બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મોતના કેસમાં બિહાર સરકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે મુકુલ રોહતગી 2014 થી 2017 સુધી ભારતના એટર્ની જનરલ રહી ચૂક્યા છે. બિહાર સરકાર સુશાંતની ગર્લફ્રેન્ડ અને તપાસના ઘેરાવમાં આવેલી રિયા ચક્રવર્તીની અરજીનો વિરોધ કરી રહી છે. જેના પગલે બિહાર સરકારે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ