ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / Sushant Singh Rajput case Bihar government to file caveat through Mukul Rohatgi in supreme court
ADVERTISEMENT
બિહાર સરકાર તરફથી ઇ-ફાઇલિંગ દ્વારા કેવાઇટ દાખલ કરવામાં આવી છે. સુશાંતસિંહ રાજપૂતનાં મોત અને તેની પાછળનાં કારણોની તપાસ કરનારી આ બીજી કૅવિયેટ છે. સુપ્રીમ કોર્ટમાં આ કેસની તપાસને બિહારથી ટ્રાન્સફર કરીને મુંબઈમાં કરાવવામાં આવે તેની રિયા ચક્રવર્તીની અરજીના મામલામાં બંને કેવિયેટ દાખલ થઈ છે.
ADVERTISEMENT
મહત્વનું છે કે રિયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. અભિનેત્રીની માંગ છે કે બિહારમાં નોંધાયેલ FIR મુંબઇમાં સ્થાનાંતરિત કરવામાં આવે જ્યાં તપાસ ચાલુ છે. રિયા ચક્રવર્તીનું કહેવું છે કે એક મામલાની તપાસ બે પોલીસ કરી શકે નહીં. બિહાર સરકાર સર્વોચ્ચ અદાલતમાં રિયા ચક્રવર્તીની કરેલી અરજીનો વિરોધ કરવા અને આ કેસમાં સુશાંતના પરિવારને ટેકો આપવા તૈયાર છે. સુશાંતના પરિવારના વકીલ વિકાસ સિંઘ કોર્ટમાં હાજર રહેશે.
ADVERTISEMENT
રિયા ચક્રવર્તી પર આ છે આરોપો
રિયા અને અન્ય પાંચ સામે આત્મહત્યા, છેતરપિંડી અને ષડયંત્રના આરોપ હેઠળ આઈપીસીની કલમ 340, 342, 380, 406, 420, 306 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સુશાંતના પિતા કે.કે.સિંઘની ફરિયાદ પર એફઆઈઆર નોંધાયા બાદ બિહાર પોલીસની ચાર સભ્યોની ટીમ આ કેસની તપાસ માટે પહેલા મુંબઈ પહોંચી હતી.
ADVERTISEMENT

સુશાંતના પિતાએ રિયા પર સુશાંતને આત્મહત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો. તેણે દાવો કર્યો હતો કે સુશાંતના જીવન પર રિયાનો સંપૂર્ણ નિયંત્રણ હતો. તેણે સુશાંતને પરિવારથી દૂર રાખ્યો હતો. આ સિવાય તેમણે એમ પણ આરોપ લગાવ્યો હતો કે રિયા સુશાંતને કોઈ પણ ફિલ્મ સાઇન કરવા દેતી નથી. જ્યારે પણ કોઈ પ્રસ્તાવ આવે ત્યારે તે સુશાંત સિંહને તેની ફિલ્મમાં તેની હિરોઇન તરીકે લેવા દબાણ કરતો હતો. આ જ શરત પર સુશાંત કોઈ પણ પ્રોજેક્ટને સ્વીકાર કરે.
ADVERTISEMENT

બીજી બાજુ અંકિતા લોખંડેની પણ પૂછરપછ
ADVERTISEMENT
જ્યારે આ કેસમાં બિહાર પોલીસે મુંબઈમાં સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ અને ટીવી અભિનેત્રી અંકિતા લોખંડેના ઘરે જઈને પૂછપરછ કરી હતી. બિહાર પોલીસ અત્યાર સુધી આ મામલે કુલ 6 લોકોની પૂછપરછ કરી ચૂકી છે.
સંકળાયેલા મુદ્દાઓ