ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / sushant singh rajput case arnab goswami claims big press conference after disha salian death

દાવો / દિશાની મોત બાદ સુશાંત કરવાનો હતો આ કામ : અર્ણબ ગોસ્વામીનો દાવો, કહ્યું પુરાવા આપવા તૈયાર

Published By: vtvAdmin

Last Updated: 10:45 PM, 5 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વરિષ્ઠ પત્રકાર અર્ણબ ગોસ્વામીએ દાવો કર્યો છે કે સુશાંત રાજપૂત પોતાની પૂર્વ મેનેજર દિશા સલિયાનની મોત બાદ એક મોટી પ્રેસ કોન્ફરન્સ કરવાનો હતો.

ADVERTISEMENT

સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ CBIને ટ્રાન્સફર કરી દેવાઈ છે. આ જાણકારી કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને આપી છે. આ વચ્ચે વરિષ્ઠ પત્રકાર અર્ણબ ગોસ્વામીએ દાવો કર્યો છે કે સુશાંત સિંહ રાજપૂત પોતાની પૂર્વ મેનેજર દિશા સલિયાનની મોત બાદ એક મોટી પ્રેસ કોન્ફરન્સ કરવાનો હતો. તેમને આ જાણકારી સૂત્રો દ્વારા મળી છે. 

તેમણે કહ્યું છે કે સુશાંતની મોતનો મામલો તેની પૂર્વ મેનેજર દિશાની મોતની લિંકથી છે. દિશાને જેમણે માર્યા તેઓ સુશાંતને પણ ધમકી આપી રહ્યાં હતાં. સૂત્રોને જણાવ્યું કે સુશાંત દિશાની મોતને લઈને મોટી પ્રેસ કોન્ફરન્સ કરવાના હતાં. ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા જ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ સાંસદ નારાયણ રાણેએ દાવો કર્યો હતો કે સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશાનો રેપ બાદ મર્ડર કરવામાં આવ્યું હતું. તેણે આપઘાત કર્યો નથી. રાણે કહ્યું હતું તેમની પાસે આ સંદર્ભે કેટલાંક દસ્તાવેજો પણ છે અને જરૂર પડવા પર સંબંધિત ઓથોરિટીની સામે રાખીશું. 

પોલીસે લોકોથી માંગી દિશાના મોતથી જોડાયેલી જાણકારી

બીજી બાજુ દિશાની મોતના 57 દિવસ બાદ મુંબઈ પોલીસ આજે હરકતમાં આવી છે અને એક પ્રેસનોટ જાહેર કરીને દિશાની મોત સંબંધિત જાણકારી માંગી છે. મુંબઈ પોલીસે કહ્યું કે જો કોઈની પાસે દિશાની મોતથી જોડાયેલી કોઈ પણ જાણકારી હોય તો મલાડમાં માલવાણી પોલીસને સોંપી શકે છે. 

દિશાની માતાએ પણ આપ્યું નિવેદન

ટાઈમ્સ નાઉ ચેનલમાં આપેલા ઈન્ટરવ્યૂ દરમ્યાન દિશાની માતાએ કહ્યું કે અમને નથી ખબર કે આ આત્મહત્યા હતી કે અકસ્માત. આ એક દુર્ઘટના પણ હોઈ શકે છે. કદાચ તે ત્યાં બેસી હોય અને ત્યાં તેની સાથે એવું કંઈ બની ગયું હોય. એવું પણ હોઈ શકે છે. દિશાની માતાએ આગળ કહ્યું કે આ સંપૂર્ણ મામલા પર તેમને હાલ કોઈના પર શંકા નથી.

ઉલ્લેખનીય છે કે દિશા સલિયાને પોતાના કરિયરની શરૂઆતમાં અખબારમાં કામ કર્યુ હતું. તેના તેની રૂચિ PR લાઈનમાં થઈ અને તેને પોતાનું કરિયર બદલી નાંખ્યું હતું. દિશાએ સુશાંત સિંહ રાજપૂતની સાથે પણ કામ કર્યુ હતું. દિશાએ છિછોરે ફિલ્મ વખતે એક્ટર વરૂણ શર્મા માટે પણ કામ કર્યુ છે અને દિશાને ઍક્ટર અને મોડલ મિલિંદ સોમન સાથે કામ કરવાની પણ તક મળી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Disha Salian Sushant Singh Rajput Sushant singh Rajput Suicide arnab goswami sushant singh rajput suicide case

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ