ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / sukanya samriddhi yojana changes benefits for third girl child

ફાયદાની વાત / દીકરીઓ માટેની ખાસ યોજનામાં મોદી સરકારે કર્યા 4 મોટા બદલાવ, દેશના ઘણા પરિવારોને મળશે જોરદાર લાભ

Published By: Dhruv

Last Updated: 01:39 PM, 11 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દીકરીઓ માટેની ખાસ યોજના 'સુકન્યા સમૃદ્ધિ યોજના'માં મોદી સરકારે મહત્વના ફેરફાર કર્યા છે. જેનો અનેક પરિવારોને લાભ મળશે.

ADVERTISEMENT

  • 'સુકન્યા સમૃદ્ધિ યોજના'માં મોદી સરકારે કર્યા મહત્વના ફેરફાર
  • ત્રણ દીકરીઓના માતા-પિતાને પણ આ યોજનાનો લાભ મળશે
  • હવે દર વર્ષે રોકાણ કરવાની માથાકૂટ પણ ખતમ થઈ ગઈ

જો તમે દીકરીના પિતા છો તો તમે ખૂબ જ ભાગ્યશાળી છો. કારણ કે કેન્દ્રની મોદી સરકાર તમારી ખુશીઓ વધારવા માટે 'સુકન્યા સમૃદ્ધિ યોજના' (Sukanya Samriddhi Yojana) ચલાવી રહી છે. આ યોજનામાં રોકાણ કરવું એ સૌથી વધારે સારો વિકલ્પ છે. જે અંતર્ગત દીકરીના નામે સુકન્યા ખાતું ખોલાવીને તેમાં દર વર્ષે ચોક્કસ રકમ જમા કરાવવાથી ભવિષ્યમાં એકસાથે રકમનો લાભ મેળવી શકાય છે. દીકરીઓના ઉચ્ચ શિક્ષણ અને લગ્ન વગેરે માટે આ યોજનામાં રોકાણ કરીને મોટું ભંડોળ એકત્ર કરી શકાય છે.

ત્રણ દીકરીઓના માતા-પિતાને પણ આ યોજનાનો લાભ મળશે

કેન્દ્ર સરકારે આ યોજનામાં વધુમાં વધુ લોકોને જોડવા માટે અનેક મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. અત્યાર સુધી આ યોજનાનો લાભ બે દીકરીઓ ધરાવતા માતા-પિતાને જ મળતો હતો. પરંતુ હવે સરકારે તેમાં નવો ફેરફાર કરીને ત્રણ દીકરીઓના માતા-પિતાને પણ આ યોજનાનો લાભ આપ્યો છે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં હાલમાં 7.6 ટકા વાર્ષિક વ્યાજ મળે છે. તેમાં રોકાણ કરનારાઓને વાર્ષિક રૂ. 1.50 લાખ સુધીની આવકવેરામાં છૂટછાટ મળે છે.

જાણો શું-શું ફેરફાર કરાયા?

યોજનામાં 3 દીકરીઓ ધરાવતા માતા-પિતા પણ હવે સામેલ

  1. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં હવે 3 દીકરીઓ ધરાવતા માતા-પિતાને પણ સામેલ કરવામાં આવ્યા છે. આ સ્કીમમાં રોકાણ કરનારા માતા-પિતાને અગાઉ બે દીકરીઓના ખાતા પર જ આવકવેરામાંથી મુક્તિ મળતી હતી. પરંતુ હવે તેમાં ફેરફાર કરીને ત્રીજી દીકરી માટે પણ છૂટ લાગુ કરી દેવાઇ છે.
  2. બીજો મહત્વનો ફેરફાર ખાતાના સંચાલનને લગતો છે. અત્યાર સુધી ખાતા ધારકની પુત્રી 10 વર્ષની ઉંમર પછી જ પોતાનું એકાઉન્ટ ઓપરેટ કરી શકતી હતી. પરંતુ હવે તે 18 વર્ષની ઉંમર પૂર્ણ કર્યા બાદ જ આવું કરી શકશે. દીકરી 18 વર્ષની થાય ત્યાં સુધી તેના માતા-પિતા એટલે કે વાલી જ દીકરીનું એકાઉન્ટ ઓપરેટ કરી શકશે.

હવે દર વર્ષે રોકાણ કરવાની માથાકૂટ પણ ખતમ

  1. હવે દર વર્ષે રોકાણ કરવાની માથાકૂટ પણ ખતમ થઈ ગઈ છે. પહેલાં નિયમ એવો હતો કે જો દર વર્ષે આ ખાતામાં ઓછામાં ઓછા 250 રૂપિયા જમા ન થાય તો ખાતું ડિફોલ્ટ થઈ જતું. પરંતુ હવે એવું નહીં થાય. પાકતી મુદત સુધી જમા કરવામાં આવેલી જેટલી પણ રકમ પર હશે તેની પર વ્યાજ ચૂકવવામાં આવશે.
  2. હવે એકાઉન્ટ બંધ કરવાને લઇને પણ ફેરફાર કરવામાં આવ્યા છે. જો પુત્રી પરિપક્વતા પહેલાં મૃત્યુ પામે અથવા તો તેણીનું સરનામું બદલાય તો આ યોજનાનું એકાઉન્ટ બંધ કરી શકાતુ હતું. પરંતુ હવે જો દીકરીને કોઇ જોખમકારક બીમારી થઇ જાય તો પણ એકાઉન્ટ બંધ કરાવી શકાય.

સંકળાયેલા મુદ્દાઓ

Sukanya Samriddhi Yojana Sukanya Samridhi Account sukanya samriddhi scheme sukanya samriddhi yojana

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ