શિવલિંગ પર બીલીપત્ર, બીલીફળ, જલધારા કે કોઇપણ ફળ ફુલ ચઢાવવામાં આવે તો ભગવાન ભોળાવાથ ખુશ રહે છે અને આપણા પર આશીવાર્દ વરસાવતા રહે છે, પણ શિવજી પર કેમ ફળ-ફુલ ચઢાવવામાં આવે છે અને તેની પાછનું રહસ્ય શું છે.
સીધી સાદી સ્પષ્ટ ભાષામાં વાત કરીએ તો, શિવજીને પર્ણ, ફળ, ફુલ ચઢાવવાથી પ્રથા સદીઓથી ચાલી આવે છે. જેનુ કારણ કદાચ તમે નહીં જાણતા હોવ. આ બધી વસ્તુ એટલે કે, ફળ, ફુલ પાંદડાંને પ્રકૃતિના અંગો માનવામાં આવે છે અને શાસ્ત્રોમાં ખુબ સ્પષ્ટ રીતે પાર્વતી માતાને પ્રકૃતિ કહેવાઇ છે. શિવજીના પાર્વતી માતા સાથે લગ્ન થયા એ પછીના ખંડમાં "પરૂષ અને પ્રકૃતિનું મિલન" અર્થાત શિવજી પુરૂષ અને પાર્વતી માતા પ્રકૃતી જે શ્રાવણ મહિનાના સમયગાળામાં ધરતી માતાને પોતાની લીલી-લીલી લીલોતરીની ચાદરથી સુશોભિત કરતી હોય છે. માટે શિવજીને પ્રકૃતિનાં અંગ સમાં પાંદડાં અને ફળ-ફુલ સ્વીકૃત અને પ્રિય હોય છે.
જ્યારે શિવલિંગ પર દુધનો અભિષેક કરવામાં આવે છે. જે શિવજીને વિષની બળતરા અને ગરમીથી રાહત આપે છે. જેથી દુધનો અભિષેક કરવાથી શિવજી પોતાના ભોળા ભક્તો પર પ્રશન્ન રહે છે. દુધ શિવજીના અત્યંત પ્રિય ભક્ત નંદીદેવની માતાનું જ અંશ છે. આ ઉપરાંત શિવલિંગ પર પંચામૃતનો અભિષેક પણ કરાતો હોય છે. પંચામૃત માત્ર શિવજીને જ અર્પણ નથી કરાતું, પરંતુ પંચામૃત કે ચરણામૃત શ્રી સત્યનારાયણ કથા, જનમાષ્ટમી. ગોકુલાષ્ટમી કે, લક્ષ્મી નારાયણ મંદિરોમાં પ્રસાદ તરીકે પણ ધરાવાતું હોય છે. પંચામૃત તેના નામ કરણ મુજબ પાંચ પ્રકારના અમૃત સમા પદાર્થમાંથી બનાવવામાં આવે છે. જેમાં દુધ, દહી, સાકર, ઘી અને મધનો સમાવેશ થાય છે.
જ્યારે તુલસીના પાન વગર કોઇપણ પ્રસાદ ક્યારેય ચઢાવાતો નથી કારણ કે, તુલસી પાન વગર કોઇપણ પ્રસાદ અધુરો જ ગણાય છે. જ્યારે પંચામૃતના પાંચેય દ્રવ્યો દુધ, દહી, સાકર, ઘી અને મધને અલગ-અલગ રીતે એક-એક દ્રવ્ય પણ શિવલિંગ પર અભિષેક કરી શકાય છે. આ પંચામૃત પણ શીતળતા પ્રદાન કરે છે. આ ઉપરાંત શિવજીને શેરડીનો રસ પણ અર્પણ કરાય છે. જેથી ભગવાન ભોળાનાથ ખુશ થઇને ભક્તોની વિશિષ્ટ ઇચ્છાઓ પૂર્ણ કરે છે. (ક્રમશ:)