બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / PCBના પૂર્વ ચીફે જય શાહને કરી પાકિસ્તાન જવાની અપીલ, કહ્યું - 'એકવાર અમારી વાત તો સાંભળી લો'
Last Updated: 02:52 PM, 6 February 2026
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના પૂર્વ ચીફ એહસાન મનીએ જય શાહને અપીલ કરી છે કે તે પોતે 'પાકિસ્તાન જાય'. ત્યાંની સરકારને T20 વર્લ્ડ કપ 2026 માં ભારત સામે મેચના બહિષ્કારને ખતમ કરવા મનાવે. તેમણે કહ્યું કે ત્યાં જઈને ICC ચેરમેન જય શાહ પાકિસ્તાનની 'ફરિયાદો' પણ સાંભળે.
ADVERTISEMENT
T20 વર્લ્ડ કપ હવે ઉપખંડીય તાકાતો માટે રાજકીય અખાડો બની ગયો છે. શરૂઆતમાં બાંગ્લાદેશે પાકિસ્તાનના સમર્થન સાથે સુરક્ષાની ચિંતાઓને ટાંકીને ભારત આવવાનો ઇનકાર કરી દીધો હતો. ICCએ આ માંગણીને નકારી દીધી હતી અને બાંગ્લાદેશે નિર્ધારિત સમય સુધીમાં તેની ભાગીદારીની પુષ્ટિ ન કરી તો તેના બદલે સ્કૉટલેન્ડને સામેલ કરી લીધું. PCBના ચેરમેન મોહસીન નકવીએ તેને 'અન્યાય' ગણાવ્યો. આના પછી પાકિસ્તાન સરકારે ટીમને ભારત સામે મેદાનમાં ન ઉતરવાનો નિર્દેશ આપ્યો.

ADVERTISEMENT
અહેવાલો પ્રમાણે, ICCના ડેપ્યુટી ચેરમેન ઇમરાન ખ્વાજાને PCB અને ICC વચ્ચેની વાતચીતમાં મધ્યસ્થી કરવાનું કહેવામાં આવ્યું છે. જોકે, મનીનું માનવું છે કે તેઓ આ માટે યોગ્ય વ્યક્તિ નથી. તેમણે કહ્યું કે 'ICCના ચેરમેન માટે સારું છે કે તેઓ પોતે પાકિસ્તાન સરકાર સાથે વાત કરે. તેમણે પાકિસ્તાન જઈને સરકારને બહિષ્કાર ખતમ કરવા માટે મનાવવા જોઈએ અને તેમની ફરિયાદો પણ સાંભળવી પણ જોઈએ.'
આ પણ વાંચો: T20 વર્લ્ડકપનું કાઉન્ટડાઉન શરૂ, જુઓ ટીમ ઇન્ડિયાની મેચ ક્યાં-ક્યારે અને કોની સામે રમાશે?
ADVERTISEMENT
જો પાકિસ્તાન બહિષ્કાર કરે છે, તો તેના કાનૂની પરિણામો પણ આવી શકે છે, કારણ કે પાકિસ્તાને વર્લ્ડ કપ માટે મેમ્બર્સ પાર્ટિસિપેશન એગ્રીમેન્ટ (MPA) પર હસ્તાક્ષર કર્યા છે. મનીએ સ્વીકાર્યું કે પાકિસ્તાનનો કેસ ખૂબ મજબૂત નથી, પરંતુ તેણે રજૂ કરી શકાય છે. તેમણે કહ્યું, "પાકિસ્તાનના કેસમાં કેટલીક નબળાઈઓ હોઈ શકે છે, કારણ કે ICCએ પાકિસ્તાનની મેચ હાઇબ્રિડ મોડેલ અંતર્ગત ભારતથી શ્રીલંકા શિફ્ટ કરી દીધી, પણ એક સક્ષમ કાનૂની ટીમ તેને અસરકારક રીતે રજૂ કરી શકે છે. ભારત-પાકિસ્તાન મેચનો બહિષ્કાર મેમ્બર્સ પાર્ટિસિપેશન એગ્રીમેન્ટનું ઉલ્લંઘન હોઈ શકે છે, પરંતુ એના માટે BCCIનું નકારાત્મક વલણ જવાબદાર છે, જેને પાકિસ્તાનને આટલો મોટો નિર્ણય લેવા માટે મજબૂર કર્યું."
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.