ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / કળિયુગના અંતના સંકેત? ભવિષ્યમાલિકાની કઈ ભયાનક ભવિષ્યવાણીઓ સાચી પડી હોવાનો કરાય છે દાવો!
7 ફોટો ગેલેરી
Last Updated: 10:04 PM, 29 August 2026
1/7
શું સેંકડો વર્ષો પહેલાં લખાયેલાં પ્રાચીન ગ્રંથોમાં આજે ઘટી રહેલી વૈશ્વિક ઘટનાઓના સંકેતો છુપાયેલા હોઈ શકે? હિન્દુ ધર્મ અને ઓડિશાના આધ્યાત્મિક ઈતિહાસમાં સંત અચ્યુતાનંદ દાસ અને પંચસખા સાથે જોડાયેલી 'ભવિષ્યમાલિકા'ને લઈને આવા અનેક દાવા કરવામાં આવે છે. માનવામાં આવે છે કે આશરે ૫૦૦થી ૬૦૦ વર્ષ પહેલા તાડના પત્રો પર લખાયેલા આ ગ્રંથોમાં કળિયુગના અંતિમ ચરણ અને ભવિષ્યની અનેક રહસ્યમય ઘટનાઓનો ઉલ્લેખ છે. ગ્રંથના અનુયાયીઓ અનુસાર, સમય જતાં આમાં દર્શાવેલા કેટલાક સંકેતો વર્તમાન ઈતિહાસ અને ઘટનાઓ સાથે આશ્ચર્યજનક રીતે બંધબેસતા આવે છે.
2/7
ભવિષ્યમાલિકામાં ઉલ્લેખ છે કે જ્યારે કળિયુગના અંતિમ ચરણની શરૂઆત થશે, ત્યારે જગન્નાથ મંદિર પરિસરમાં આવેલું અતિ પ્રાચીન કલ્પવૃક્ષ (વડનું ઝાડ) ક્ષતિગ્રસ્ત થશે. વર્ષ 1999માં ઓડિશામાં આવેલા વિનાશક મહાસુનામી (સાઇક્લોન) દરમિયાન આ કલ્પવૃક્ષની મોટી ડાળીઓ તૂટીને પડી ગઈ હતી. અનુયાયીઓએ આ ઘટનાને ભવિષ્યમાલિકાના સંકેત સાથે જોડીને જોવાનું શરૂ કર્યું હતું.
ADVERTISEMENT
3/7
બીજી એક ચર્ચિત ભવિષ્યવાણી મુજબ, જગન્નાથ મંદિરના ઊંચા શિખર કે નીલચક્ર આસપાસથી ભારે પથ્થરો નીચે ખરવાની ઘટનાઓ મોટી આફત કે મુશ્કેલ સમયના એંધાણ આપે છે. વિતેલા વર્ષોમાં મંદિરના ઉપલા ભાગમાંથી પથ્થર ખસવાની કેટલીક ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. તેનાથી તંત્ર અને પુરાતત્વ વિદોમાં ચિંતા તો જાગી જ હતી, પરંતુ સાથે સોશિયલ મીડિયા પર તેને ભવિષ્યમાલિકાના દાવાઓ સાથે જોડીને વાયરલ કરવામાં આવી હતી.
4/7
ગ્રંથમાં એવા સમયનો પણ ઉલ્લેખ મળે છે જ્યારે સમગ્ર વિશ્વ અચાનક ઉદ્ભવતી ગંભીર અને રહસ્યમય બીમારીઓથી ઘેરાઈ જશે. શરૂઆતના તબક્કે તબીબી વિજ્ઞાન પણ લાચાર બનશે અને મોટી જાનહાની થશે. વર્ષ 2020 માં ફેલાયેલી કોરોના (COVID-19) મહામારી સાથે આ વાતને સાંકળવામાં આવે છે. જોકે, કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે આ પ્રકારની ઘટનાઓ બન્યા બાદ લોકો તેને જૂની ભવિષ્યવાણીઓ સાથે જોડીને નવી વ્યાખ્યાઓ આપતા હોય છે.
ADVERTISEMENT
5/7
ભવિષ્યમાલિકા અનુસાર, એક સમય એવો આવશે જ્યારે સમાજમાં ક્રોધ, લાલચ અને સ્વાર્થનું પ્રમાણ ચરમસીમાએ પહોંચશે. લોકોમાં દયા અને પ્રેમ ઘટશે તથા પરિવારના સભ્યો જ એકબીજાથી દૂર થવા લાગશે. આજના આધુનિક યુગમાં વધતા જતાં કૌટુંબિક વિવાદો, એકલવાયાપણું અને વૃદ્ધાશ્રમોની વધતી સંખ્યાને કેટલાક લોકો આ ભવિષ્યવાણીના પરિણામ તરીકે જુએ છે.
6/7
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ