ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / Politics / shiv sena protest out side rana residence

BIG NEWS / રાણા દંપત્તિ માતોશ્રી બહાર હનુમાન ચાલીસા કરે તે પહેલા ઉગ્ર થયા શિવસેના કાર્યકરો, ઘરમાં ઘૂસવાનો પ્રયાસ

Published By: Khyati

Last Updated: 09:52 AM, 23 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈમાં હનુમાન ચાલીસા મુદ્દે ગરમાઈ રાજનીતિ, મહારાષ્ટ્રમાં MNS ચીફ રાજ ઠાકરે દ્વારા શરૂ કરાયેલા હનુમાન ચાલીસા વિવાદમાં અપક્ષ સાંસદ નવનીત રાણા પણએ ઝંપલાવ્યું

ADVERTISEMENT

  • મુંબઈમાં હનુમાન ચાલીસાના મુદ્દે ગરમાઈ રાજનીતિ
  • શિવસેનાનું ભાજપ સાંસદના ઘર બહાર પ્રદર્શન
  • રાણા દંપતી આજે ઉદ્ધવ ઠાકરેના ઘર બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાના હતા

હનુમાન ચાલીસા વિવાદ હવે ઉદ્ધવ ઠાકરેના ઘર માતોશ્રી સુધી પહોંચી ગયો છે. અમરાવતીના નિર્દલીય સાંસદ નવનીત રાણાએ માતોશ્રી બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાનું એલાન કરતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ જાહેરાત બાદ  ગુસ્સે ભરાયેલા શિવસૈનિકોએ શનિવારે સવારે નવનીત રાણાના ઘરની બહાર ભારે હોબાળો મચાવ્યો હતો. કાર્યકરો બેરિકેડ તોડી અંદર પ્રવેશ્યા હતા.

મારા પર હુમલો થશે તો જવાબદારી સીએમની

નવનીત  રાણાના ઘર બહાર હોબાળો થયો તેમ છતાં નવનીત રાણા ઘરની બહાર નીકળવા મક્કમ જણાયા. તેઓએ કહ્યું હું નીચે જઇશ, ગેટની બહાર પણ જઇશે. મને કોઈ રોકી શકશે નહીં. જો મારા પર કોઈ હુમલો થશે તો તેની જવાબદારી સીએમની રહેશે.

 

નવનીત રાણાને મળી Y કેટેગરીની સુરક્ષા

નવનીત રાણાના આ એલાન બાદ મુંબઇ પોલીસે એક નોટિસ મોકલી. જેમાં લખવામાં આવ્યું હતું કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના ઘરની બહાર હનુમાન ચાલીસા કરવાની મનાઇ છે. જો રવિ રાણા કે નવનીત રાણા ઘરની બહાર નીકળવાની કોશિશ કરશે તો તેઓને બહાર નહિ નીકળવા દઇએ અને જો પોલીસે જોર જબરદસ્તી કરી તો પોલસી પણ કાર્યવાહી કરશે. જો કે આ વિવાદ બાદ ખતરાને જોતા કેન્દ્ર સરકારે નવનીત રાણાને Y કેટેગરીની સુરક્ષા પુરી પાડી છે. 

 

નવનીત અને રવિને ગણાવ્યા બંટી-બબલી

શિવસેનાએ સાંસદ નવનીત રાણા પર આકરા પ્રહારો કર્યા હતા. શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે આ ધર્મની આડમાં સ્ટંટ છે. તેણે નવનીત અને તેના ધારાસભ્ય પતિને બંટી-બબલી ગણાવ્યા હતા. તો  બીજી તરફ આ જાહેરાત બાદ શિવસૈનિકો પણ એલર્ટ પર છે. માતોશ્રી પર શિવસૈનિકોની ભીડને કારણે વેસ્ટર્ન એક્સપ્રેસ વે પર અંધેરીથી બાંદ્રા સુધીના રસ્તા પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો.

 

આખરે કોણ છે નવનીત રાણા?

નવનીઝ રાણાનું પૂરું નામ નવનીત કૌર રાણા છે. તેમનો જન્મ મુંબઈમાં પંજાબી પરિવારમાં થયો હતો. નવનીતના પિતા આર્મીમાં હતા. રાણાએ 12મા ધોરણ પછી અભ્યાસ છોડીને મોડલિંગનું ક્ષેત્ર પસંદ કર્યું અને તેમાં પોતાનું કરિયર બનાવ્યું. મોડલિંગ સિવાય તેણે તેલુગુ, કન્નડ, મલયાલમ, પંજાબી અને કેટલીક હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. નવનીતના લગ્ન રવિ રાણા સાથે થયા હતા અને તેમની સાથે લગ્ન કર્યા પછી જ તેણીએ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેણીએ 2014ની લોકસભા ચૂંટણી કોંગ્રેસની ટિકિટ પર લડી હતી પરંતુ હારી ગઈ હતી. તે જ સમયે, 2019 માં, NCP અને કોંગ્રેસના સમર્થનથી, તેણી અમરાવતીથી અપક્ષ સાંસદ તરીકે ચૂંટાઈ હતી. તેમણે આ સીટ પર શિવસેનાના ઉમેદવારને હરાવ્યા હતા. નવનીતના પતિ રવિ રાણા મહારાષ્ટ્રમાં સ્વતંત્ર ધારાસભ્ય છે અને યોગ ગુરુ બાબા રામદેવના ભત્રીજા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Mumbai shivsena protest ઉદ્ધવ ઠાકરે નવનીત રાણા માતોશ્રી વિવાદ હનુમાન ચાલીસા Mumbai

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ