ન્યૂઝ અપડેટ્સ
5 ફોટો ગેલેરી
Last Updated: 10:55 AM, 9 September 2026
1/5
11 ડિસેમ્બરના રોજ, ભગવાન શનિ તેમની વક્રી ચાલ સમાપ્ત કરીને સીધી ગતિએ આગળ વધવાનું શરૂ કરશે. બીજા શબ્દોમાં કહીએ તો, આ દિવસથી શનિ આગળની દિશામાં ગતિ કરશે. જોકે, તે પહેલાં શનિનો પ્રતિકૂળ પ્રભાવ અમુક રાશિઓ પર ચાલુ રહેશે. શનિની વક્રી દ્રષ્ટિ ખાસ કરીને ત્રણ ચોક્કસ રાશિઓ માટે નુકસાનકારક જણાય છે. આ પ્રભાવ હેઠળ, સંબંધિત વ્યક્તિઓને આર્થિક નુકસાન, સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ અને કારકિર્દીમાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે. આવો જાણીએ કે, જ્યોતિષીઓએ કઈ ત્રણ રાશિઓને ચેતવણી આપી છે.
2/5
મહત્વપૂર્ણ કે ગંભીર બાબતો અંગે નિર્ણય લેતી વખતે વિશેષ સાવચેતી રાખો. ઉતાવળમાં નિર્ણયો લેવાનું ટાળો. કોઈપણ યોજના પર આગળ વધતા પહેલાં તેના તમામ પાસાઓનો સારી રીતે વિચાર કરો. બદલાતી પરિસ્થિતિઓમાં ધીરજ જાળવી રાખવી ફાયદાકારક સાબિત થશે. શનિના પ્રભાવને ધ્યાનમાં લેતા, ઉતાવળને બદલે ઊંડાણપૂર્વક વિચાર-વિમર્શ કર્યા પછી જ નિર્ણય લેવા હિતાવહ છે. તમારા માતા-પિતા અથવા પરિવારના વડીલો સાથેના સંબંધો બગડી શકે છે, અને કાર્યસ્થળ પર સહકર્મીઓ સાથે પણ મતભેદો કે તણાવ વધી શકે છે. (ઉપાય- દર શનિવારે “ॐ शं शनैश्चराय नमः” મંત્રનો 108 વાર જાપ કરો.)
ADVERTISEMENT
3/5
સિંહ રાશિના જાતકો પર શનિનો પ્રતિકૂળ પ્રભાવ પડશે. પરિણામે, આ રાશિના લોકોએ ખૂબ સાવચેતી રાખવાની જરૂર છે. તમારા ખર્ચમાં અણધાર્યો વધારો થઈ શકે છે અને દેવા કે લોનનો બોજ અચાનક તમારા પર આવી શકે છે. ધીરજ અને મહેનતથી કામ કરવું અત્યંત જરુરી છે. કોઈ જૂનો વિવાદ ફરી ઉભરી શકે છે અને તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. વેપારીઓએ પણ આ સમયગાળા દરમિયાન ખૂબ કાળજીપૂર્વક કામ કરવું જોઈએ. ખૂબ જ નફાકારક ડીલ તમારા હાથમાંથી સરકી શકે છે અને તેનાથી થતો પસ્તાવો તમને લાંબા સમય સુધી તણાવમાં રાખી શકે છે. (ઉપાય- દર મંગળવાર હનુમાન ચાલીસા કે સુંદરકાંડનો પાઠ કરો)
4/5
કન્યા રાશિના જાતકો માટે આવનારો સમય પડકારજનક બની શકે છે. શનિના પ્રભાવને કારણે કાર્યક્ષેત્રે નકારાત્મક અસર પડી શકે છે અને કાર્યો પૂર્ણ કરવા માટે વધુ મહેનતની જરૂર પડી શકે છે. ઉતાવળ કરવાને બદલે ધીરજથી આગળ વધવું હિતાવહ રહેશે. આર્થિક વ્યવહારો બાબતે પણ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે. તમામ આર્થિક બાબતોમાં કાળજીપૂર્વક વર્તવું અને પરિસ્થિતિને સમજીને નિર્ણય લેવો અત્યંત મહત્વપૂર્ણ રહેશે. (ઉપાય- શનિવારની સાંજે પીપળા નીચે સરસવના તેલમાં કાળા તલ મિક્સ કરી દીવો પ્રગટાવો)
ADVERTISEMENT
5/5
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ