ન્યૂઝ અપડેટ્સ
7 ફોટો ગેલેરી
Last Updated: 09:30 PM, 9 September 2026
1/7
ઘર માત્ર રહેવાની જગ્યા નથી, પરંતુ ત્યાંનું વાતાવરણ આપણા મૂડ અને રોજિંદા જીવન પર પણ અસર કરે છે. વાસ્તુ શાસ્ત્રમાં એવી અમુક વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેને લાંબા સમય સુધી ઘરમાં રાખવી યોગ્ય માનવામાં આવતી નથી. આવી વસ્તુઓ ઘરમાં નકારાત્મક વાતાવરણ વધારી શકે છે અને સુખ-શાંતિમાં અડચણ ઊભી કરી શકે છે. જો તમારા ઘરમાં પણ આમાંથી કોઈ વસ્તુ પડેલી હોય તો એકવાર તેના પર નજર કરી લેવી સારી.
2/7
ઘરમાં તૂટેલા કપ, પ્લેટ, ગ્લાસ કે અન્ય કાચની વસ્તુઓ પડી હોય તો તેને સાચવીને રાખવાની આદત ટાળવી જોઈએ. આવી વસ્તુઓ ઘરના વાતાવરણમાં નકારાત્મક અસર ઊભી કરી શકે છે અને પરિવારના સભ્યો વચ્ચે મતભેદ વધવાની શક્યતા રહે છે. ઉપયોગમાં ન આવતી અને તૂટેલી વસ્તુઓને સમયસર હટાવી દેવી વધુ સારું માનવામાં આવે છે.
ADVERTISEMENT
3/7
ઘરને સુંદર બનાવવા માટે આપણે છોડ અને ફૂલો રાખીએ છીએ, પરંતુ જ્યારે એ જ છોડ સુકાઈ જાય ત્યારે તેને એમ જ પડેલા રાખવા યોગ્ય નથી માનવામાં આવતું. છોડ અને ફૂલો ઘરમાં નિરાશાજનક વાતાવરણ ઊભું કરી શકે છે. છોડ સુકાઈ જાય તો તેને દૂર કરીને તેની જગ્યાએ તાજા અને હરિયાળા છોડ રાખવા જોઈએ.
4/7
ઘરમાં એવી ઘણી વસ્તુઓ હોય છે જે વર્ષોથી ઉપયોગમાં આવતી નથી છતાં આપણે તેને “ક્યારેક કામ આવશે” એવું વિચારીને સાચવી રાખીએ છીએ. ધીમે ધીમે આ જ વસ્તુઓનો ઢગલો ભંગારમાં ફેરવાઈ જાય છે. જૂનો ભંગાર, તૂટેલા ઇલેક્ટ્રોનિક્સ અને બિનજરૂરી સામાન ઘરની ઊર્જાને ભારે બનાવે છે. આવી વસ્તુઓને દૂર કરવાથી ઘર વધુ વ્યવસ્થિત અને હળવું લાગે છે.
ADVERTISEMENT
5/7
પૂજાના સ્થળે તૂટેલી કે ખંડિત મૂર્તિ રાખવી વાસ્તુમાં શુભ માનવામાં આવતી નથી. આવી મૂર્તિઓને ઘરમાં રાખવાને બદલે યોગ્ય રીતે દૂર કરવાની સલાહ આપવામાં આવે છે. ઘરની સજાવટમાં પણ એવી તસવીરો કે પેઇન્ટિંગ્સ પસંદ કરવી જોઈએ જેમાં દુઃખ, ઉદાસીનતા કે નકારાત્મકતા દેખાતી હોય તેવી છબી ન હોય. માન્યતા છે કે ઘરમાં દેખાતી વસ્તુઓનું વાતાવરણ પર પણ માનસિક પ્રભાવ પડી શકે છે.
6/7
ઘરમાં કોઈ ઘડિયાળ લાંબા સમયથી બંધ છે અને તેને ઠીક કરાવવાની પણ કોઈ તૈયારી નથી, તો તેને એમ જ રાખવી ટાળવી જોઈએ. બંધ ઘડિયાળ પ્રગતિમાં અવરોધનું પ્રતીક માનવામાં આવે છે. જો ઘડિયાળ રિપેર થઈ શકે તેમ હોય તો તેને સમયસર રીપેર કરાવી શકાય અને જો તે ખરાબ થઈ ગઈ હોય તો તેને હટાવી દેવી યોગ્ય ગણાય છે.
ADVERTISEMENT
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ