બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / AAPને ઝટકો, રાઘવ ચઢ્ઢા સહિત 7 બાગી સાંસદોની ભાજપમાં એન્ટ્રીને રાજ્યસભા સભાપતિની મળી મંજૂરી
Last Updated: 12:46 PM, 27 April 2026
આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યસભાના અધ્યક્ષે રાઘવ ચઢ્ઢા અને સંદીપ પાઠક સહિત સાત AAP સાંસદોના ભાજપમાં જોડાવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. રાજ્યસભાએ એક જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં આ સાત નેતાઓના નામ ભાજપના સાંસદોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
આમ આદમી પાર્ટીના સાત સાંસદોના ભાજપમાં જોડાયા બાદ રાજ્યસભામાં ભાજપના સાંસદોની સંખ્યા વધીને 113 થઈ ગઈ છે. આમાંથી પાંચ રાષ્ટ્રપતિ દ્વારા નામાંકિત સભ્યો છે.
Big blow to AAM AADMI PARTY
— Jaswinder kaur (@TheReal_Jassi) April 24, 2026
7/10 Rajya Sabha MPs have joined BJP today.
• Raghav Chadha
• Sandeep Pathak
• Ashok Mittal
• Harbhajan Singh
• Rajinder Gupta
• Vikram Sahney
• Swati Maliwal
Arvind Kejriwal has been betrayed big time #aapcrisis pic.twitter.com/0lAXV1Q3cY
ADVERTISEMENT
જે AAP સાંસદો ભાજપમાં જોડાયા છે તેમાં અશોક કુમાર મિત્તલ, રાઘવ ચઢ્ઢા, હરભજન સિંહ, સંદીપ કુમાર પાઠક, વિક્રમજીત સિંહ સાહની, સ્વાતિ માલીવાલ અને રાજેન્દ્ર ગુપ્તા છે.
AAP ની પાસે ફક્ત 3 સાંસદ જ બચ્યા
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે શુક્રવારે રાઘવ ચઢ્ઢા અને સંદીપ પાઠકે ભાજપમાં જોડાવાનો નિર્ણય જાહેર કર્યો હતો. ભાજપ પ્રમુખ નીતિન નવીને સાંસદોને મીઠાઈ ખવડાવીને પાર્ટીમાં સ્વાગત કર્યું હતું. AAPના સાત સાંસદોના ભાજપમાં વિલય બાદ, પાર્ટી પાસે હવે ફક્ત ત્રણ સાંસદ બચ્યા છે. તેમના નામ સંજય સિંહ, નારાયણ દાસ ગુપ્તા અને સંત બલબીર સિંહ છે.
Rajya Sabha Chairman approves the induction of 7 MPs, including Raghav Chadha, into the BJP.
— Rajbeer Kamboz 🇮🇳 (@rajbeerkamboz7) April 27, 2026
With this move, BJP’s strength in the Rajya Sabha rises from 106 to 113. pic.twitter.com/WQ2hkxHoyk
ADVERTISEMENT
સંજય સિંહનું બીજેપી અને બાગી સાંસદો પર હુમલો
આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ સાંસદોના પક્ષપલટાથી નારાજ દેખાતા હતા. એક પત્રકાર પરિષદને સંબોધતા તેમણે આમ આદમી પાર્ટીમાંથી આ સાત સાંસદોના પ્રસ્થાનને ગેરકાયદેસર ગણાવ્યું. સંજય સિંહે રાઘવ ચઢ્ઢા સહિત સાત સાંસદોની સભ્યપદ રદ કરવાની માંગ કરી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભાજપે નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. તેમ છતાં, આ સાંસદોને ભાજપમાં જોડાવાની મંજૂરી આપવામાં આવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ જસ્ટિસ સ્વર્ણકાંતાની કોર્ટમાં હાજર નહીં થાય અરવિંદ કેજરીવાલ, 'સત્યાગ્રહનું' કર્યું એલાન
આમ આદમી પાર્ટીના નેતા અને પંજાબના સીએમ ભગવંત માન રાઘવ ચઢ્ઢા પર પ્રહાર કરતા જોવા મળ્યા હતા. તેણે રાઘવને 'ગદ્દાર' ગણાવ્યો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.