બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / જસ્ટિસ સ્વર્ણકાંતાની કોર્ટમાં હાજર નહીં થાય અરવિંદ કેજરીવાલ, 'સત્યાગ્રહનું' કર્યું એલાન
Last Updated: 10:29 AM, 27 April 2026
અરવિંદ કેજરીવાલે દારૂ કૌભાંડ કેસમાં બેન્ચ બદલવાની અરજી ફગાવાતા કોર્ટમાં હાજર ન રહેવાનો નિર્ણય લીધો છે. તેમણે જસ્ટિસ સ્વર્ણકાંત શર્મા સમક્ષ હાજરી આપવા ઈનકાર કરી ‘સત્યાગ્રહ’નો માર્ગ અપનાવવાની જાહેરાત કરી છે. સાથે જ, તેમણે આ નિર્ણય સામે Supreme Court of Indiaમાં અપીલ કરવાનો અધિકાર અનામત રાખ્યો છે.
ADVERTISEMENT
દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દારૂ કૌભાંડ કેસમાં બેન્ચ બદલવાની માંગ કરતી અરજી દાખલ કરી હતી. આ અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ તેમણે જાહેરાત કરી છે કે તેઓ હાજર નહીં થાય. કેજરીવાલે જણાવ્યું છે કે તેઓ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનો અધિકાર અનામત રાખે છે.
ADVERTISEMENT
દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને દારૂ કૌભાંડમાં નીચલી અદાલતે નિર્દોષ જાહેર કર્યા હતા. તપાસ એજન્સીએ આ નિર્ણય સામે દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરી છે. જસ્ટિસ સ્વર્ણકાંત શર્માની આગેવાની હેઠળની બેન્ચ આ કેસની સુનાવણી કરશે. અરવિંદ કેજરીવાલે હવે જાહેરાત કરી છે કે તેઓ જસ્ટિસ સ્વર્ણકાંત શર્મા સમક્ષ હાજર નહીં થાય.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ બંગાળમાં અમિત શાહની ગર્જના, કહ્યું - ભાજપ આવશે તો ગુંડાઓ જેલ ભેગા થશે
તેમણે આ બાબતે ન્યાયાધીશ સ્વર્ણકાન્તને પત્ર પણ લખ્યો છે. અરવિંદ કેજરીવાલે ન્યાયાધીશ સ્વર્ણકાન્તને પત્ર લખીને જણાવ્યું છે કે તેઓ તેમની સમક્ષ રૂબરૂ કે વકીલ દ્વારા હાજર થશે નહીં. તેમણે એમ પણ કહ્યું કે ન્યાયાધીશ સ્વર્ણકાન્ત પાસેથી ન્યાય મેળવવાની તેમની આશા ઠગારી નીવડી છે. તેથી, તેમણે મહાત્મા ગાંધીના સત્યાગ્રહના માર્ગને અનુસરવાનું નક્કી કર્યું છે. દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પણ કહ્યું છે કે તેઓ જસ્ટિસ સ્વર્ણ કાંતાના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનો અધિકાર અનામત રાખશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.