બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:12 AM, 27 April 2026
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન અમિત શાહે નદિયામાં જનસભાઓ ગજવી હતી. તેમણે વચન આપ્યું હતું કે ભાજપ સત્તામાં આવશે તો ગુંડા રાજ ખતમ થશે, ઘૂસણખોરો સામે કડક કાર્યવાહી થશે અને રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે મહિલાઓ માટે મફત મુસાફરી અને માસિક 3000 રૂપિયાના ભથ્થા જેવી મોટી જાહેરાતો પણ કરી હતી. શાહે દાવો કર્યો હતો કે પ્રથમ તબક્કાની 110 બેઠકો પર ભાજપનો વિજય નિશ્ચિત છે.
ADVERTISEMENT
4 तारीख के बाद बंगाल में कोई भ्रष्टाचारी बच नहीं पाएगा।
— BJP (@BJP4India) April 26, 2026
एक-एक भ्रष्टाचारी को सलाखों के पीछे भेजा जाएगा। pic.twitter.com/VhU4V8VvSs
તેહટ્ટામાં જનમેદનીને સંબોધતા અમિત શાહે મતદારોને નિર્ભય થઈને મતદાન કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, "ચૂંટણી પંચે સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરી છે, તેથી કોઈનાથી ડરવાની જરૂર નથી. બહાર નીકળો અને મતાધિકારનો ઉપયોગ કરો, કોઈ પણ તમને રોકી શકશે નહીં." શાહે એક મોટો દાવો કરતા જણાવ્યું કે 23 April ના રોજ યોજાયેલા પ્રથમ તબક્કાના મતદાનમાં ભાજપે 110 બેઠકો પર જીત મેળવી લીધી છે. જોકે, તેહટ્ટામાં ભાષણ દરમિયાન અચાનક તેજ વરસાદ શરૂ થતા તેમણે પોતાનું સંબોધન અધવચ્ચે જ રોકવું પડ્યું હતું, પરંતુ લોકોનો ઉત્સાહ ઓછો થયો નહોતો.
ADVERTISEMENT
ममता बनर्जी ने पूरे बंगाल में विकास करने की जगह गुंडाराज स्थापित किया है।
— BJP (@BJP4India) April 26, 2026
उनका एक मात्र उद्देश्य है- भाइपो को मुख्यमंत्री बनाना।
ममता दीदी, मेरी बात कान खोलकर सुन लो... आप जीवन में भाइपो को मुख्यमंत्री नहीं बना पाएंगी।
ममता बनर्जी ने विवेकानंद, रामकृष्ण परमहंस और… pic.twitter.com/5RqMYIFfOq
ત્યારબાદ રાણાઘાટની સભામાં અમિત શાહે મમતા સરકાર પર પશુ તસ્કરીને પ્રોત્સાહન આપવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. તેમણે જાહેરાત કરી કે બંગાળમાં ભાજપની સરકાર બન્યા બાદ પશુ તસ્કરી રોકવા માટે એક વિશેષ ટાસ્ક ફોર્સ બનાવવામાં આવશે. ઘૂસણખોરીના મુદ્દે પણ તેમણે આકરું વલણ અપનાવતા કહ્યું કે સીમા પારથી થતી ગેરકાયદેસર ઘૂસણખોરીને સંપૂર્ણપણે રોકવામાં આવશે અને ઘૂસણખોરોની ઓળખ કરી તેમની સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે.
ADVERTISEMENT
बंगाल के लोग आज भाइपो टैक्स से परेशान हैं।
— BJP (@BJP4India) April 26, 2026
आपको ईंट लेनी है तो भाइपो टैक्स देना पड़ता है,
सीमेंट लेना है तो भाइपो टैक्स देना पड़ता है,
बल्ब खरीदते हो तो भाइपो टैक्स देना पड़ता है...
लेकिन 4 तारीख से सिंडिकेट और भाइपो टैक्स समाप्त हो जाएगा।
- श्री @AmitShah
पूरा वीडियो… pic.twitter.com/eDkHK2VcQW
મહિલા મતદારોને રીઝવવા માટે અમિત શાહે ચૂંટણી વચનોની ઝડી વરસાવી હતી. તેમણે જાહેર કર્યું કે જો ભાજપ સત્તામાં આવશે, તો મહિલાઓ અને બેરોજગાર યુવાનોને દર મહિને 3000 રૂપિયાનું ભથ્થું આપવામાં આવશે. આ સાથે જ રાજ્યના તમામ સરકારી પરિવહનમાં મહિલાઓને મફત મુસાફરીની સુવિધા મળશે. સામાજિક સુધારા અંગે વાત કરતા શાહે સ્પષ્ટ કર્યું કે ભાજપ સરકાર બનતાની સાથે જ પશ્ચિમ બંગાળમાં સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરાશે, બહુપત્નીત્વ પ્રથા નાબૂદ કરવામાં આવશે અને ત્રણ તલાક પરના પ્રતિબંધને વધુ કડકાઈથી અમલી બનાવવામાં આવશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: 15 મહાનગરપાલિકામાં લોકશાહીનો ઉત્સવ સંપન્ન
રવિવારનો દિવસ બંગાળની ચૂંટણી માટે અત્યંત મહત્વનો રહ્યો હતો, કારણ કે અમિત શાહની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વિવિધ સ્થળોએ રેલીઓ અને ભવ્ય રોડ શો કર્યા હતા. ભાજપના આક્રમક પ્રચાર અને મોટા વાયદાઓએ તૃણમૂલ કોંગ્રેસ માટે પડકાર ઉભો કર્યો છે. શાહના આ નિવેદનો બાદ બંગાળમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે અને આગામી તબક્કાના મતદાનમાં આ વચનોની કેટલી અસર થાય છે તેના પર સૌની નજર ટકેલી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.