ન્યૂઝ અપડેટ્સ
VTV / Politics / rajasthan congress sachin pilot and ashok chandna social media fights may increase congress tension
ADVERTISEMENT
ADVERTISEMENT
રાજસ્થાનમાં કોંગ્રેસની મુશ્કેલીઓ અટકવાનું નામ નથી લેતી. રાજ્યમાં ખેલ મંત્રી અશોક ચંદનાએ પોતાના એ ટ્વિટનો મતલબ બતાવ્યો છે, જેને આ અઠવાડીયે તેમણે પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટને ટાર્ગેટ કરતા કર્યું હતું. સાથે જ તેમણે આરોપ લગાવ્યો હતો કે, 2020થી જ પાયલટના સમર્થક તેમને સોશિયલ મીડિયા પર ગાળો આપી રહ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે, મારા ટ્વિટથી એ મતલબ હતો કે, જો અમારા સમર્થક આપ (સચિન પાયલટ) પર જૂતા અને ચપ્પલ ફેંકે છે, જેમ આપ આપના સમર્થકોને કરવા દો છો, તો રાજનીતિથી બહાર થવાનું નિશ્ચિત છે. આપણામાંથી કોઈ એક બચશે, અથવા તો કોઈ નહીં. સોમવારે, ગુર્જર નેતા કર્નલ કિરોડી સિંહ બૈંસલાના અસ્થિ વિસર્જનના અવસર પર આયોજીત એક કાર્યક્રમ દરમિયાન કથિત રીતે પાયલક સમર્થક દ્વારા હિંડોલી ધારાસભ્ય અને ગહલોત સરકારમાં ખેલ મંત્રી પર જૂતા ફેંક્યા હતા.
ADVERTISEMENT
His (Sachin Pilot) supporters have been abusing me on social media for 2yrs... 10-15 days ago his MLA said, at a Gurjar program, that all Gurjars who were not with Sachin Pilot to topple Cong govt are traitors & society should teach them a lesson: Rajasthan Minister Ashok Chandna pic.twitter.com/DV9WniNZqx
— ANI (@ANI) September 17, 2022
ADVERTISEMENT
તો બની જશે મુખ્યમંત્રી
ત્યાર બાદ અશોક ચંદનાએ ટ્વિટ કર્યું હતું કે, મારા પર જૂતા ફેંકાવીને સચિન પાયલટ જો મુખ્યમંત્રી બને તો જલ્દી બની જાય, કારણ કે આજે મારુ લડવાનું મન નથી, જે દિવસ હું લડવા પર આવી ગયો તો પછી એક જ બચશે અને હું તેવું કરવા માગતો નથી. જો કે સચિન પાયલટે તેમના ટ્વિટનો કોઈ જવાબ આપ્યો નથી. એ પણ વાત છે કે, જે કાર્યક્રમમાં અશોક ચંદનાની સાથે આ ઘટના થઈ, તે કાર્યક્રમમાં સચિન પાયલટ હતા નહીં.
ADVERTISEMENT
मुझ पर जूता फकवाकर सचिन पायलट यदि मुख्यमंत्री बने तो जल्दी से बन जाए क्योंकि आज मेरा लड़ने का मन नहीं है।
— Ashok Chandna (@AshokChandnaINC) September 12, 2022
जिस दिन मैं लड़ने पर आ गया तो फिर एक ही बचेगा और यह मैं चाहता नहीं हूँ।
ADVERTISEMENT
ચંદનાએ કહ્યું કે, તેમના સમર્થક બે વર્ષથી સોશિયલ મીડિયા પર મને ગાળો દેતા રહ્યા. 10-15 દિવસ પહેલા એક ધારાસભ્યે કહ્યું હતું કે, જે ગુર્જર કોંગ્રેસ સરકાર પાડવા માટે સચિન પાલયટ સાથે નહોતા, તે દેશદ્રોહી છે અને સમાજે તેમને સબક શિખવાડવો જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ