ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીએ દેશમાં વધતી મોંઘવારી અને બેરોજગારીને લઈને શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય ઉદ્યાનમાં નામીબિયાથી લાવેલા ચિત્તાને છોડવાની જગ્યાએ પોતાનું ધ્યાન બેરોજગારી સંકટ અને જરુરી વસ્તુઓના ભાવ વધારા સાથે જોડાયેલા મુદ્દાના સમાધાન પર લગાવવું જોઈએ. કેરલના હરિપાઠમાં ભારત જોડા યાત્રા દરમિયાન રેલીને સંબોધન કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર નાના અને મધ્યમ વેપારીઓ, ખેડૂતો અને મજૂરો પર સુનિયોજીત રીતે અટેક કરી રહી છે.
8 चीते तो आ गए, अब ये बताइए,
— Rahul Gandhi (@RahulGandhi) September 17, 2022
8 सालों में 16 करोड़ रोज़गार क्यों नहीं आए?
युवाओं की है ललकार, ले कर रहेंगे रोज़गार।#राष्ट्रीय_बेरोजगार_दिवस pic.twitter.com/QEFUF90lkm
ADVERTISEMENT
તેમણે કહ્યું કે, બે અથવા ત્રણ ઉદ્યોગપતિ દેશની તમામ સંપત્તિને કંટ્રોલ કરી રહ્યા છે. તે કોઈ પણ બિઝનેસમાં પ્રવેશ કરી શકે છે અને કોઈ પણ બિઝનેસને ખતમ કરી શકે છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું છે કે, આઠ ચિત્તા તો આવી ગયા, હવે બતાઓ, આઠ વર્ષમાં 16 કરોડ રોજગાર કેમ ન આવ્યા ? યુવાનોનો છે આ લલકાર, લઈને રહેશે રોજગાર. તેમણે કહ્યું કે, છેલ્લા આઠ વર્ષમાં ફક્ત સાત લાખ લોકોને રોજગાર આપવામાં આવ્યા, જ્યારે મોદી સરકારે દર વર્ષે બે કરોડ લોકોને રોજગાર આપવાનું વચન આપ્યું હતું.
ADVERTISEMENT
આ બાજૂ પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે, રાષ્ટ્રીય મુદ્દાને દબાવવા અને કોંગ્રેસની ભારત જોડો યાત્રાથી ધ્યાન ભટકાવવા માટે આ બધો તમાશો થઈ રહ્યો છે. તેમણે ટ્વિટ કર્યું કે, પ્રધાનમંત્રી શાસનમાં નિરંતરતાને કદાચ ક્યારેય સ્વિકાર કરી શકશે નહીં.ચિત્તા પ્રોજેક્ટ માટે 25 એપ્રિલ 2010ના રોજ મારી કેપટાઉન યાત્રા તેનું ઉદાહરણ છે. આજે પ્રધાનમંત્રી કારણ વગરનો તમાશો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, 20096-11 દરમિયાન જ્યારે વાધને પ્રથમ વાર પન્ના સરિસ્કામાં ટ્રાંફસર કર્યા ત્યારે કેટલાય લોકોએ આશંકાઓ વ્યક્ત કરી રહ્યા હતા. તે બધા ખોટા સાબિત થયા.
સંકળાયેલા મુદ્દાઓ