તુલસીના આધ્યાત્મિક મહત્વની સાથે સાથે એને આયુર્વેદમાં પણ ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. તુલસીના પાનના એટલા ખાસ ગુણ હોય છે કે જો તમે સતત એના સંપર્કમાં રહો છો તો લાઇફમાં ઘણા મોટા ફેરફાર શક્ય થાય છે.
કહેવાય છે કે તુલસીના છોડનું દરેક ઘરમાં એક વિશેષ મહત્વ હોય છે. વિષ્ણુપ્રિય હોવાની સાથે સાથે તુલસી કોઇના ખરાબ નસીબને પણ બદલી નાંખે છે. એમ પણ તુલસીમાં એટલા બધા ગુણ અને ફાયદા છે જેને જાણી સમજીને દરેક ધર્મના લોકો પોતાના ઘરમાં તુલસીના છોડને વિશેષ પ્રેમ અને સમ્માનની સાથે જગ્યા આપે છે.
ચલો તો જાણીએ તુલસીના માત્ર ચાર પાન કેવી રીતે તમારી લાઇફ બદલી શકે છે. જો ઘરમાં પૈસાની તંગી, વેપારમાં નુકસાન અને ઝઘડા વાળા જીવનના કારણે જો તમને રાતે ઊંઘ આવી રહી નથી કો તુલસીના ચાર પાન દરરોજ રાતે તકિયાની નીચે મૂકીને સૂઇ જાવ, તમારે એટલું કરવાનું છે કે સાંજ થાય તે પહેલા તુલસીના છોડમાંથી ચાર પાન તોડી લેવાના છે અને રાતે સૂતા પહેલા આ ચાર પાનને તકિયાને નીચે રાખીને સૂવાનું છે.
સવારે આ ચાર પાનમાંથી બે પાન ચાવીને ખાઇ જાવ અને બે પાનને સંભાળીને રાખો. કહેવાય છે કે તુલસીના પાનથી હંમેશા સકારાત્મક તરંગો નિકળે છે જે દુવિધાપૂર્ણ જીવન જીવી રહેલા વ્યક્તિના જીવનમાં સુમેળ બનીને આવે છે.