પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 72માં જન્મદિવસને ભારતીય જનતા પાર્ટી સાથે એનડીએમાં સામેલ થયેલા દળ પણ મનાવી રહ્યા છે. આ જ ક્રમમાં રાષ્ટ્રીય લોકજનશક્તિ પાર્ટીએ પણ પીએમ મોદીનો જન્મ દિવસ ઉજવ્યો હતો.
પીએમ મોદીનો આજે 72મો જન્મ દિવસ
ભાજપના સાથી પક્ષોએ પણ જન્મદિવસ ઉજવ્યો
લોકજનશક્તિ પાર્ટીના અધ્યક્ષે આપ્યું મોટુ નિવેદન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 72માં જન્મદિવસને ભારતીય જનતા પાર્ટી સાથે એનડીએમાં સામેલ થયેલા દળ પણ મનાવી રહ્યા છે. આ જ ક્રમમાં રાષ્ટ્રીય લોકજનશક્તિ પાર્ટીએ પણ પીએમ મોદીનો જન્મ દિવસ ઉજવ્યો હતો. રાલોજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ તથા સેન્ટ્રલ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રી પશુપતિ કુમાર પારસે શનિવારે પાર્ટી કાર્યકર્તાઓ સાથે નરેન્દ્ર મોદીની તસ્વીર સામે 72 પાઉન્ડનો કેક કાપીને ધૂમધામથી ઉજવ્યો હતો. આ અવસરે પશુપતિ કુમાર પારસે પ્રધાનમંત્રીના લાંબા અને દીર્ઘાયુ આયુષ્યની કામના કરી અને કહ્યું કે, અમે લોકો ઈચ્છીએ છીએ કે, પ્રધાનમંત્રી મોદી 100 વર્ષથી પણ વધારે જીવન જીવે.
आज रालोजपा के बिहार प्रदेश कार्यालय में राष्ट्रीय अध्यक्ष सह केन्द्रीय मंत्री,मंझले पापा श्री @PashupatiParas जी ने मा० प्रधानमंत्री श्री @narendramodi जी के जन्मदिवस पर केक काटकर खुशी मनाया एवं आज के दिन को "सेवा संकल्प दिवस" के रूप में मनाने का आव्हान किया! pic.twitter.com/C2zLGYGpK4
પશુપતિ પારસે કહ્યું કે, અમે તો સાક્ષાત પૃથ્વી પર ભગવાનના દર્શન નથી કર્યા, પણ પ્રધાનમંત્રી મોદી સાક્ષાત ભગવાનના બીજા સ્વરુપ છે. તેમણે પોતાનું સમગ્ર જીવન દેશનો વિકાસ અને દેશવાસીઓના કલ્યાણ માટે સમર્પિત કરી દીધું છે. પશુપતિ પારસે વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યું કે, દેશમાં વિપક્ષ ટુકડે ટુકડે વહેંચાયેલો છે. વિપક્ષ ક્યારેય એકજૂટ થઈ શકશે નહીં. વિપક્ષમાં ઢગલાબંધ પીએમ પદના ચહેરા છે. આ બધાયે પ્રધાનમંત્રી બનવા માટે સપના જોઈ રહ્યા છે.
2029 સુધી પ્રધાનમંત્રી પદ માટે દેશમાં કોઈ વેકેન્સી નથી-પશુપતિ પારસ
રાલોજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ પશુપતિ કુમાર પારસે દાવો કરતા કહ્યું કે, વિપક્ષ 2024ની વાત કરી રહ્યું છે, પણ હું કહું છું કે, 2029 સુધી પ્રધાનમંત્રી પદ માટે દેશમાં કોઈ વેકેન્સી ખાલી નથી. તેમણે સીએમ નીતિશ કુમાર પર કટાક્ષ કરતા કહ્યું કે, નીતિશ કુમાર વિપક્ષને એ સલાહ આપે કે, વિપક્ષ 2024 કરવાની જગ્યાએ 2034ની લોકસભા ચૂંટણીની તૈયારી પર ધ્યાન આપે.