બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / Organized a special meeting of leaders of the Kshatriya community at the Chief Minister's residence at Gandhinagar

લોકસભા ચૂંટણી 2024 / ક્ષત્રિય આંદોલનને લઈ મોટા સમાચાર, મુખ્યમંત્રી નિવાસ સ્થાને ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક

Dinesh

Last Updated: 11:47 PM, 15 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024: ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી નિવાસ સ્થાને ક્ષત્રિય સમાજના આગેવાનોની ખાસ બેઠકનું આયોજન કરાયું છે. જે બેઠકમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી હાજર રહેશે

રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની વિવાદીત ટીપ્પણીને લઈ ક્ષત્રિય સમાજમાં રોષ પ્રસરેલો જોવા મળી રહ્યો છે. ત્યારે જેમ જેમ મતદાનની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ આ વિવાદ પણ શાંત થતો જોવા મળી રહ્યો છે. અગાઉ પરસોત્તમ રૂપાલાએ સાધુ-સંતો તેમજ ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક યોજી હતી. તો હવે ગાંધીનગર ખાતે ક્ષત્રિય સમાજના આંદોલનને લઈ  ક્ષત્રિય સમાજના આગેવાનોને મુખ્યમંત્રી નિવાસ સ્થાને બોલાવવામાં આવ્યા છે.

 

ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી નિવાસ સ્થાને ક્ષત્રિય સમાજના આગેવાનોની ખાસ બેઠકનું આયોજન કરાયું છે. જે બેઠકમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી હાજર રહેશે. સૂત્રો પાપ્ત માહિતી મુજબ ક્ષત્રિય સમાજમાં ફેલાયેલા રોષ મુદ્દે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. 

 

રૂપાલાએ સાધું-સંતો સાથે બેઠક યોજી હતી
થોડા દિવસ અગાઉ રૂપાલાએ સાધુ સંતો સાથે બેઠક યોજી હતી. જેમાં પાળીયાદ ધામના ગાદીપતીએ રૂપાલા સાથે બેઠક કરી વિવિધ ચર્ચાઓ કરી હતી. પાળીયાદ ધામના ભયલુ બાપુએ તેમજ બલિયાવડ શક્તિધામના આઈશ્રી દેવલઆઈએ પણ મુલાકાત કરી હતી. જે બેઠકમાં ક્ષત્રિય સમાજના આગેવાનો પણ હાજર રહ્યાં હતાં.

વાંચવા જેવું:  સી.કે. રાઉલજીએ છેડ્યો બોર્ડ નિગમના પદનો મુદ્દો, પ્રદેશ ભાજપના નેતાઓ સામે કાર્યકરોની દુઃખતી નસ દબાવી

જાણો સમગ્ર વિવાદ 
રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ રજવાડા અંગે એક નિવેદન આપ્યું હતું. જે વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.  તેમણે કહ્યું હતું કે, રૂખી સમાજે ધર્મ કે વ્યવહાર નહોતો બદલ્યો. સૌથી વધુ દમન થયુ છતા રૂખી સમાજ નહોતો ઝૂક્યો. વધુમાં કહ્યું હતું કે, મહારાજાઓએ અંગ્રેજો સામે રોટી-બેટીના વ્યવહાર કર્યા હતો. રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. 

 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ