ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Politics / om prakash rajbhar asked for money because he did not have petrol

ઉઘરાણી / ગાડીમાં પેટ્રોલ નથી... મને ડોનેશન આપો... કહી દિગ્ગજ નેતાએ ફેલાવી ઝોળી, પૈસા આપવા લોકોની પડાપડી

Published By: Jaydeep Shah

Last Updated: 10:16 AM, 2 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાવધાન યાત્રા પર નીકળેલા ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ ઓમ પ્રકાશ રાજભરે પેટ્રોલ ન હોવા પર કાર્યકર્તાઓ પાસે ચાદર ફેલાવીને ફાળો માંગ્યો.

ADVERTISEMENT

  • જાતિવાર જનગણના માટે સાવધાન યાત્રા પર નીકળ્યા ઓમ પ્રકાશ રાજભર 
  • પેટ્રોલ ન હોવા પર કાર્યકર્તાઓ પાસે માંગ્યો ફાળો 
  • કાર્યકર્તાઓએ ભરી દીધી ઓમ પ્રકાશ રાજભરની ચાદર 

સાવધાન યાત્રા પર નીકળ્યા ઓમ પ્રકાશ રાજભર

સાવધાન યાત્રાને લઈને સંતકબીરનગર જિલ્લાના હેસર ક્ષેત્રમાં પહોંચેલા સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ ઓમ પ્રકાશ રાજભરે જનસભાને સંબોધિત કરતાં સમયે મંચ પર જ ગાડીમાં પેટ્રોલ ન હોવાના નામ પર ફાળો માંગી લીધો. જેવી તેમણે મંચ પરથી ચાદર લટકાવીને લોકો સામે ફેલાવી, તેવા જ ફાળો આપવા માટે લોકો ભારે ભીડમાં એકઠા થઈ ગયા. જોતજોતામાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની ચાદર ભરાઈ ગઈ. 

પેટ્રોલ ન હોવા પર કાર્યકર્તાઓ પાસે માંગ્યો ફાળો 

સાવધાન યાત્રા લઈને નીકળેલા ઓપી રાજભર રવિવારે ધનઘટા વિધાનસભાનાં હેસર ચાર રસ્તા પર ડૉક્ટર ભીમરાવ આંબેડકર ડીગ્રી કોલેજ પહોંચ્યા હતા. અહીં તેમણે કાર્યકર્તાઓને સંબોધિત કર્યા. સમાજવાદી પાર્ટી અને બસપા પર હુમલો કરતાં તેમણે કહ્યું કે ગરીબો, દલિતો તથા શોષિત સમાજ માટે લડાઈ ચાલી હી છે. ત્યાર બાદ  તેમણે મંચ પરથી ચાદર ફેલાવીને કાર્યકર્તાઓ પાસેથી ફાળો માંગ્યો. જોતજોતામાં કાર્યકર્તાઓએ 10,20,50,100,500 રૂપિયા રાજભરની ચાદરમા ભરી દીધા. 

લડત હજુ ખૂબ જ લાંબી 
રાજભરે પાર્ટીના કાર્યકર્તાઓને કહ્યું કે આ લડત હજુ લાંબી ચાલશે. શું તમે મારો સહયોગ કરશો? મારી પાસે પૈસા ખૂટી ગયા છે. મને તમારા સહયોગની અપેક્ષા છે. ત્યાર બાદ ઓપી રાજભર પોતાની ચાદર ફેલાવીને ઊભા રહી ગયા. કાર્યકર્તાઓએ પણ તેમને નિરાશ ન કર્યા અને તેમની પાસે જે કંઇપણ હતું, રાજભરની ઝોલીમા નાંખી દીધું. આ પહેલા આઝમગઢમાં પણ ઓપી રાજભરે ફાળો માંગ્યો હતો. 

જાતિવાર જનગણનાની માંગ 
નોંધનીય છે કે ઓપી રાજભર 27 સપ્ટેમ્બરથી સાવધાન યાત્રા લઈને નીકળ્યા છે. આ યાત્રા 27 ઓકટોબર સુધી ચાલશે અને બિહારની રાજધાની પટનામાં તેનું સમાપન થશે. રાજભર જાતિવાદ જનગણનાની માંગને લઈને સાવધાન યાત્રા પર નીકળ્યા છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

om prakash

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ