આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટની ઓનલાઇન મેગેઝિન દબિકના અંકમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. મેગેઝિને બાંગ્લાદેશમાં આઇએસઆઇએસ આતંકીઓના મુખિયા શેખ અબૂ ઇબ્રાહિમ અલ હનીફનું ઇન્ટરવ્યૂ પ્રકાશિત કરાયું છે.
જેમાં તેણે ભારત પર બન્ને તરફથી હુમલો કરવાની વાત કરી છે. આતંકી મુખ્ય કહ્યું છે કે બંગાળ અને ભારતમાં રહેતા હિન્દૂએ હંમેશા મુસલમાનો અને ઇસ્લામ વિરૂદ્ધ કામ કર્યું છે. અને આઇએસઆઇએસના આતંકી ભારત પર પાકિસ્તાન અને બાંગ્લાદેશ બન્ને સીમાઓથી હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે.