ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ચારધામ યાત્રા માટે હેલિકોપ્ટર સેવાનું બુકિંગ શરૂ, જાણો ભાડું અને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

નેશનલ / ચારધામ યાત્રા માટે હેલિકોપ્ટર સેવાનું બુકિંગ શરૂ, જાણો ભાડું અને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Last Updated: 01:52 PM, 8 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેદારનાથ યાત્રા માટે હેલિકોપ્ટર બુકિંગ આજથી શરૂ થવા જઈ રહ્યું છે. આજે બપોરે 12 વાગ્યાથી IRCTC વેબસાઇટ પર બુકિંગ વિન્ડો ખુલશે, જો તમે પણ ટ્રિપનું આયોજન કરી રહ્યા છો, તો તમે આજે જ બુકિંગ કરી શકો છો.

ADVERTISEMENT

ઉત્તરાખંડમાં ચાર ધામની યાત્રા મે મહિનાથી શરૂ થઈ રહી છે. આ વખતે જો તમે પણ કેદારનાથની યાત્રા કરવા ઈચ્છો છો તો આની માટે હેલિકોપ્ટર સેવાનો લાભ લઈ શકો છો, જેના કારણે આજે 12 વાગ્યાથી IRCTC ની વેબસાઇટ પર કેદારનાથ માટે હેલિકોપ્ટરની ટિકિટ બુક કરી શકો છો. જે લોકો બુકિંગ કરવા ઈચ્છે છે, તે heliyatra.irctc.co.in પર જઈ શકે છે. જાણો આ યાત્રા માટે કેટલું ભાડું ચૂકવવું પડશે?

12 વાગ્યાથી શરૂ થશે બુકિંગ

ચારધામ યાત્રા માટે કેદારેનાથ હેલિકોપ્ટર સેવાની ટિકિટની ઓનલાઈન બુકિંગ આજે બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. IRCTC ની વેબસાઇટ પર બુકિંગ વિન્ડો ઓપન કરવામાં આવશે.IRCTC અનુસાર, heliyatra.irctc.co.in પર બુકિંગ 2 મેથી 31 મે માટે જ રહેશે.

kiedarnth

ભાડું કેટલું હશે?

હેલિકોપ્ટર બુકિંગ માટેનું ભાડું અલગ રાખવામાં આવ્યું છે. આમાં ગુપ્તકાશીથી કેદારનાથનું ભાડું 8532 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. ફાટાથી કેદારનાથનું ભાડું 6062 રૂપિયા રહેશે. આ ઉપરાંત સિરસીથી કેદારનાથનું ભાડું 6060 રૂપિયા સુધી રહેશે.

બુકિંગ કેવી રીતે કરવું?

હેલિકોપ્ટર બુકિંગ માટે, વ્યક્તિએ IRCTC વેબસાઇટ heliyatra.irctc.co.in ની મુલાકાત લેવી પડશે. તમે તેને ખોલતાની સાથે જ પેજ પર બીજો બુકિંગ વિકલ્પ દેખાશે. આમાં, ટિકિટ બુક કરવાનો વિકલ્પ નીચે દેખાશે. અત્યારે તેના પર ક્લિક કરી શકાતું નથી, પણ તે 12 વાગ્યાથી ખુલશે. તે ખુલ્યા પછી, જરૂરી માહિતી ભર્યા પછી અને ફી ચૂકવ્યા પછી બુકિંગ કન્ફર્મ કરી શકાય છે.

આ પણ વાંચો : VIDEO : નજીક આવ્યો, લોક તોડ્યો, અને આંખના પલકારામાં જ કરી બાઈકની ઉઠાંતરી

દરવાજા ક્યારે ખુલશે?

ઉત્તરાખંડમાં ચાર પવિત્ર સ્થળો છે, જેમાં બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીનો સમાવેશ થાય છે. ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા 30 એપ્રિલે અક્ષય તૃતીયાના દિવસે ખુલશે. આ ઉપરાંત, કેદારનાથના દરવાજા 2 મેના રોજ ખોલવામાં આવશે. જ્યારે, બદ્રીનાથ ધામના દરવાજા 4 મેના રોજ ખુલશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Uttarakhand news Helicopter Bokking Chardham Yatra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ