ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / Travel / મુસાફરો એરપોર્ટ પર રઝડી પડ્યા, ઇન્ડિગોએ 70 થી વધુ ફ્લાઇટ્સ અચાનક રદ કરી, જાણો કારણ
Last Updated: 10:06 PM, 3 December 2025
ADVERTISEMENT
Indigo: દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો એક મોટી ઓપરેશનલ કટોકટીનો સામનો કરી રહી છે. બુધવારે એરલાઇન્સે 70 થી વધુ ફ્લાઇટ્સ રદ કરી, જેના કારણે મુંબઈ અને બેંગલુરુ સહિત અનેક મુખ્ય એરપોર્ટ પર મુસાફરોને પરેશાની વેઠવી પડી છે.
ADVERTISEMENT
દેશની સૌથી મોટી એરલાઇન્સ ઇન્ડિગોએ બુધવારે 70 થી વધુ ફ્લાઇટ્સ રદ કરી. આ ફ્લાઇટ્સમાં બેંગલુરુ અને મુંબઈ એરપોર્ટથી ઉપડતી ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. સૂત્રોએ જણાવ્યું હતું કે મુખ્યત્વે ચાલક દળની અછતને કારણે વિમાનો ઉડાન રદ કરવી પડી હતી. કંપનીને તેની ફ્લાઇટ્સ ચલાવવા માટે ક્રૂ શોધવામાં મુશ્કેલી પડી રહી હોવાથી વિવિધ એરપોર્ટ પર ઇન્ડિગોની ઘણી ફ્લાઇટ્સ મોડી પડી હતી. ઇન્ડિગોએ પણ ઉડાન રદ અને વિલંબનો સ્વીકાર કર્યો છે.

ADVERTISEMENT
ઇન્ડિગોના પ્રવક્તાએ જણાવ્યું ટેકનિકલ ખામીઓને કારણે પરેશાની
એરલાઇનના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "છેલ્લા કેટલાક દિવસોમાં ટેકનિકલ સમસ્યાઓ, એરપોર્ટ પર ભીડ અને ઓપરેશનલ આવશ્યકતાઓ સહિતના વિવિધ કારણોસર ઘણી ફ્લાઇટ્સ અનિવાર્ય વિલંબ અને રદ થઈ છે." એક ન્યૂઝ એજન્સીએ એક સૂત્રને ટાંકીને જણાવ્યું હતું કે એફડીટીએલ માપદંડોના બીજા તબક્કાના અમલીકરણ પછી ઈન્ડિગો ચાલક દળની ભારે કમીનો સામનો કરી રહી છે, જેના કારણે એરપોર્ટ પર ફ્લાઇટ રદ કરવામાં આવી છે અને નોંધપાત્ર કામગીરીમાં વિલંબ થયો છે. સૂત્રએ જણાવ્યું હતું કે, "મંગળવારે એરલાઇન માટે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ હતી અને બુધવારે દેશભરના વિવિધ એરપોર્ટ પરથી ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ ભારતીય સેનાનો સૌથી મોટુ ઓપરેશન, 12 નક્સલીઓને ઠાર, ઓટોમેટિક હથિયારો પણ મળી આવ્યા
ADVERTISEMENT
એરલાઇન મુસાફરોની અસુવિધા બદલ દિલગીર
પરિચાલન સંબંધી મહત્વપુર્ણ કામગીરીમાં વિક્ષેપોનો સામનો કરીને દેશની સૌથી મોટી એરલાઇન ઈન્ડિગોએ બુધવારે જણાવ્યું હતું કે તેણે કામગીરીને સામાન્ય બનાવવા માટે આગામી 48 કલાક માટે તેના સમયપત્રકમાં આયોજિત ફેરફારો કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગોઠવણના ભાગ રૂપે એરલાઇન આગામી 48 કલાક માટે ફ્લાઇટ્સ રદ કરશે અથવા ફરીથી શેડ્યૂલ કરશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ