બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:41 AM, 28 January 2026
PM Modi on Ajit Pawar Demise: મહારાષ્ટ્રના બારામતીમાં વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને NCP નેતા અજિત પવારનું નિધન થઈ ગયું. તેમના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેવેન્દ્ર ફડણવીસ સાથે ફોન પર વાત કરીને ઘટના વિશે પૂછપરછ કરી. ગૃહમંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રી ફડણવીસ સાથે વાત કરીને ઘટના વિશે પૂછપરછ કરી. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના નિધન પર વડાપ્રધાન મોદી સહિત નેતાઓ ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
ADVERTISEMENT
Shri Ajit Pawar Ji was a leader of the people, having a strong grassroots level connect. He was widely respected as a hardworking personality at the forefront of serving the people of Maharashtra. His understanding of administrative matters and passion for empowering the poor and… pic.twitter.com/mdgwwGzw4R
— Narendra Modi (@narendramodi) January 28, 2026
વડાપ્રધાન મોદીએ એક્સ પર પોસ્ટ કરીને ગાઢ સંવેદના વ્યક્ત કરી છે. વડાપ્રધાન મોદીએ લખ્યું - અજિત પવાર એવા જનનેતા હતા. જેમનું લોકો સાથે મજબૂત કનેક્શન હતું. તેઓ મહારાષ્ટ્રના લોકો વચ્ચે સૌથી વધુ મહેનત કરતાં નેતાઓમાં ગણાતા હતા. તેમને વહીવટી બાબતોની ઊંડી સમજ હતી. ગરીબો અને વંચિતોના સશક્તિકરણ માટેનો તેમની પ્રતિબદ્ધતા નોંધપાત્ર હતી. તેમનું અકાળ અવસાન અત્યંત આઘાતજનક અને દુઃખદ છે. તેમના પરિવાર અને અસંખ્ય ચાહકો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. ઓમ શાંતિ.
ADVERTISEMENT

અજિત પવારના નિધનથી એનસીપીમાં અને મહારાષ્ટ્રની રાજનીતિમાં ખળભળાટ મચી ગયો છે. જ્યારે તેઓ બારામતી જઈ રહ્યા હતા, એ દરમિયાન આ દુર્ઘટના ઘટી. અજિત પવાર પાંચ વખતના રાજ્યના નાયબ મુખ્યમંત્રી રહ્યા. તેઓ જિલ્લા પરિષદની ચૂંટણી માટે બારામતી જઈ રહ્યા હતા. તેમના નિધનથી એનસીપી અનાથ થઈ ગઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દરમિયાન અનેક રાજકીય ઘટનાઓ બની હતી, જેના કારણે એવી અટકળો શરૂ થઈ હતી કે એનસીપીના બે જૂથો ફરી એક થઈ જશે અને અજિત પવાર ફરી એકવાર તેમને એક કરીને એક શક્તિશાળી એનસીપીના નેતા બનશે. જોકે, તેમના નિધનથી ક્ષણભરમાં બધું જ ખતમ થઈ ગયું છે. તેમનો પરિવાર ઊંડા આઘાતમાં સરી પડ્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: VIDEO: અજિત પવારનું આખું વિમાન સળગીને રાખ, વીડિયો ખૂબ ડરામણો, ચારે તરફ ધૂમાડો
ADVERTISEMENT
માહિતી પ્રમાણે, અજિત પવાર બુધવારે સવારે જિલ્લા પરિષદની ચૂંટણી માટે પ્રચાર કરવા મુંબઈથી બારામતી જઈ રહ્યા હતા. જોકે, બારામતી એરપોર્ટ પર ઉતરતા પહેલા, ધુમ્મસને કારણે વિમાન રસ્તો ભટકી ગયું. ત્યારબાદ પાયલોટે કાબુ ગુમાવ્યો અને વિમાન ક્રેશ થઈ ગયું. અજિત પવાર છેલ્લા 13 વર્ષમાં પાંચ વખત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમણે કોંગ્રેસ, શિવસેના અને ભાજપની ગઠબંધન સરકારોમાં નાયબ મુખ્યમંત્રી તરીકે સેવા આપી. એવું કહેવાય છે કે બધા પક્ષો અજિત પવારના મિત્ર હતા. રાજકીય મતભેદો હોવા છતાં, તેમણે બધા નેતાઓ સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રાખ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.