બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Mohan Kundariya denied speculations of Nilesh Kumbhani joining BJP

લોકસભા ચૂંટણી 2024 / શું નિલેશ કુંભાણી કરશે કેસરિયા? ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે મોહન કુંડારિયાનું મોટું નિવેદન

Published By: Vidhata

Last Updated: 03:49 PM, 23 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત લોકસભા બેઠક પર ભાજપ બિનહરીફ જાહેર થયા બાદ રાજકોટના સાંસદ મોહન કુંડારિયાએ આ અંગે નિવેદન આપ્યું અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે.

સુરતમાં બે દિવસ સુધી ચાલેલા હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામાનો અંત આવ્યો અને સુરત લોકસભા બેઠક પર ભાજપનાં ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું એ પછી તે ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ત્યારે રાજકોટના સાંસદ મોહન કુંડારિયાએ આ અંગે નિવેદન આપ્યું છે. 

કોંગ્રેસ દિશાવિહીન છે: મોહન કુંડારિયા

એક બાજુ સુરતમાં નિલેશ કુંભાણીના નિવાસસ્થાને કોગ્રેસ ઉમેદવારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેવામાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયાએ સુરત બેઠક બિનહરીફ જાહેર થવાને લઈને અને કોંગ્રેસના નિલેશ કુંભાણીને લઈને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ ભરતા પણ આવડતું નથી. ઉમેદવારને ફોર્મ ભરતા ન આવડતું હોવાથી ફોર્મ રદ થયું. કુંડારિયાએ કોંગ્રેસ પર આરોપ લગાવતાં એમ પણ કહ્યું કે કોંગ્રેસ દિશાવિહીન છે અને ભાજપ પર આરોપ લગાવી રહી છે. રાજકોટના સાંસદ મોહન કુંડારિયાએ કહ્યું કે ગુજરાતની જનતાએ ગઈકાલે ચમત્કાર કર્યો, રાજ્યમાં બાકીના 25 કમળો સારી રીતે ખીલશે. તેમણે સુરતના મતદારોને લાખ લાખ અભિનંદન પણ પાઠવ્યા છે.

કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર 

રાજકોટના સાંસદ મોહન કુંડારિયાએ સુરત બેઠક પર થયેલા હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામાને લઈને કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. મોહન કુંડારિયાએ કહ્યું કે કોંગ્રેસ વિચાર્યા વિના ફોર્મ ભરે, ઉમેદવારને ફોર્મ ભરતા ન આવડતું હોવાથી ફોર્મ રદ થયું, ટેકો દર્શાવનાર પણ ખસી ગયા છે, કોંગ્રેસ દિશા વહિની થઈ ગઈ છે, ત્યારે દોષનો ટોપલો ભાજપ પર નાખી રહી છે. ઉમેદવારને ફોર્મ ભરત ન આવડતું હોવાથી ફોર્મ રદ થયું છે. પોતાની ભૂલના કારણે ફોર્મ રદ થયું છે, કોંગ્રેસમાં આવડત નથી, ભાજપ પર ખોટા આક્ષેપો કરે છે. મોહન કુંડારિયાએ કોંગ્રેસના રદ કરાયેલા ઉમેદવાર નિલેશ કુંભાણી મામલે મોટું નિવેદન આપ્યું. નિલેશ કુંભાણીનાં ભાજપમાં જોડાવાની ચર્ચા પર મોહન કુંડારિયાએ કહ્યું કે નિલેશ કુંભાણી ભાજપમાં નહીં જોડાય, નિલેશ કુંભાણી કોંગ્રેસમાં જ છે અને કોંગ્રેસમાં જ રહેશે. 

વધુ વાંચો: 'હનુમાનજીની કૃપાથી સુરતનું એક કમળ આવી ગયું, હવે...', ભાજપની બિનહરીફ જીત પર શું બોલ્યા પરષોત્તમ રૂપાલા

મહત્ત્વનું છે કે કોંગ્રેસના રદ કરાયેલા ઉમેદવાર નિલેશ કુંભાણી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. તેમની ભાજપમાં જોડાવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. ત્યારે કુંડારિયાના નિવેદનને લઇને ફરી રાજકારણ ગરમાયું છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

BJP Nilesh Kumbhani gujarat mohan kundariya surat Lok Sabha Election 2024

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ