ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મહીસાગરના સંતરામપુરમાં પિતાએ 3 મહિનાના દીકરાને કૂવામાં ફેંકી દીધો, કારણ જાણીને કહેશો આટલી વાતમાં!
Last Updated: 05:25 PM, 8 September 2026
ADVERTISEMENT
મહીસાગરના સંતરામપુરમાં એક સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો છે. સંતરામપુરના ઝાલદડા ગામમાં આશિષ ભુરીયા નામના શખ્સે તેના 3 મહિનાના દીકરાની હત્યા કરી નાખી હતી. પત્ની સાથે ઝગડો થતાં પતિએ તેના 3 મહિનાના દીકરાને કૂવામાં ફેંકી દીધો હતો.
ADVERTISEMENT
શું હતું હત્યાનું કારણ?
હકીકતમાં પતિએ પિયર જવાની જીદ પકડી હતી પરંતુ પતિ તેને જવા દેવા તૈયાર નહોતો. આથી બન્ને વચ્ચે ઝગડો થયો હતો અને આવેશમાં આવી જઈને તેણે 3 મહિનાના દીકરાને કૂવામાં ફેંકી દીધો હતો. સંતરામપુર પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી હતી.
ADVERTISEMENT
રાજકોટમાં પણ આવો બનાવ
ઉલ્લેખનીય છે કે 14 ઓગસ્ટ 2026ના રોજ રાજકોટમાં પણ આવો જ બનાવ બન્યો હતો. શહેરના આહીર ચોક નજીક આવેલા નહેરુનગરની શેરી નંબર 8માં પિતા-પુત્રના સંબંધોને શર્મસાર કરતી એક અત્યંત હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. કૌટુંબિક ઝઘડા અને ગૃહક્લેશના ખારમાં એક પિતાએ જ પોતાના એકના એક યુવાન પુત્ર પર ઊંઘમાં હથોડાના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી નાખી છે. આગામી સમયમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે ત્યારે જ આ કરુણ બનાવને પગલે ૩ બહેનોએ પોતાનો વહાલસોયો ભાઈ ગુમાવતા પરિવારમાં ઘેરા શોકની લહેર છવાઈ ગઈ હતી.
ADVERTISEMENT
હત્યા બાદ ખુદ પોલીસને ફોન કર્યો
ADVERTISEMENT
પોતાના જ દીકરાની હત્યા કર્યા બાદ પિતા બાબુભાઈએ ભાગવા કે પુરાવા છુપાવવાને બદલે પોતે જ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને આ સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. બનાવ અંગે માહિતી મળતા જ ભક્તિનગર પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, છેલ્લા કેટલાક સમયથી મૃતક યુવાનની માતા રિસામણે ગયેલી હોવાથી ઘરમાં પિતા અને પુત્ર બંને એકલા જ રહેતા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો