ન્યૂઝ અપડેટ્સ
VTV / ચૂંટણી 2019 / Lok Sabha Election 2019: PM Modi to visit ayodhya on may 1 and address election rally
ADVERTISEMENT

ADVERTISEMENT
પ્રધાનમંત્રી મોદી 1 મેનાં રોજ ઉત્તરપ્રદેશનાં અયોધ્યા જશે. મેં 2014માં પ્રધાનમંત્રી બન્યાં બાદ હજી સુધી પીએમ અયોધ્યા નથી ગયાં. એવામાં તેઓની અયોધ્યા મુલાકાતનાં કાર્યક્રમને અલગ-અલગ નજરીયાથી જોવામાં આવે છે. તમને જણાવી દઇએ કે ફૈઝાબાદ લોકસભા સીટ પર પાંચમાં ચરણ અંતર્ગત 6મેંનાં રોજ મતદાન યોજાવાનું છે.
ADVERTISEMENT
પ્રધાનમંત્રી મોદી આંબેડકરનગર અને અયોધ્યાની વચ્ચે ગોસાઇગંજનાં મયા બઝાર વિસ્તારમાં 1 મે નાં રોજ ચૂંટણી રેલીને સંબોધિત કરશે. જો કે હજી સુધી એ સ્પષ્ટ નથી થઇ શક્યું કે પીએમ મોદીનો અયોધ્યાનાં મંદિરોમાં દર્શન-પૂજાનો કાર્યક્રમ છે કે નહીં. એવામાં આજથી પીએમ મોદી વારાણસીની બે દિવસની મુલાકાત પર છે. સાંજનાં તેઓનો મેગા રોડ શોનો કાર્યક્રમ છે. ત્યાર બાદ શુક્રવારનાં રોજ પીએમ મોદી પોતાની ઉમેદવારી નોંધાવશે. બીજેપીએ આને માટે ખૂબ જ મોટા પ્રમાણમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. ખુદ અમિત શાહ પણ ત્યાં જ હાજર છે.

ADVERTISEMENT
અયોધ્યા મુલાકાતનો ઉદ્દેશ્યઃ
પીએમ મોદીની અયોધ્યા મુલાકાતનાં અનેક કારણો નિકાળવામાં આવી રહ્યાં છે. એવું માનવામાં આવી રહ્યું છે કે લોકસભા ચૂંટણીનાં પાંચમા ચરણનાં વોટિંગનાં પહેલી પીએમની મુલાકાત દરમ્યાન બીજેપીને આસપાસની સીટોં પર ફાયદો મળી શકે છે. આ સાથે જ આને 6મેંનાં મતદાન પહેલાં માહોલ પોતાનાં પક્ષમાં કરવાનાં રૂપમાં જોવામાં આવી રહેલ છે.
ADVERTISEMENT
6મેંનાં રોજ ફૈઝાબાદ સીટ સિવાય ધૌરહરા, સીતાપુર, મોહનલાલગંજ, લખનઉ, રાયબરેલી, અમેઠી, બાંદા, ફતેહપુર, કૌશામ્બી, બારાબંકી, બહરાઇચ, કૈસરગંજ લોકસભા સીટોં પર પણ મતદાન છે. એવામાં એસપી-બીએસપી-આરએલડી ગઠબંધનનાં પડકારથી ઝઝુમી રહેલ બીજેપીને આ રેલીથી ઘણી આશાઓ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ભારતને રિટર્ન ગિફ્ટ / ગૌરવની ક્ષણ ! કોરોના મદદની ગિફ્ટ, આ દેશ PM મોદીને સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરશે