બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ચૂંટણી 2019 / jnu vice chancellors statement lord shiva not belongs to upper caste

વિવાદ / JNUના કુલપતિનું વિવાદીત નિવેદન: કોઈ ભગવાન બ્રાહ્મણ નથી, શંકર ભગવાન પણ SC અથવા ST હશે

Pravin

Last Updated: 04:57 PM, 23 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

JNUના કુલપતિ શાંતિશ્રી ધુલિપુડીએ હિન્દુ દેવી દેવતાઓની જાતિને લઈને ટિપ્પણી કરી છે.

  • JNUના કુલપતિએ આપ્યું વિવાદીત નિવેદન
  • ભગવાનની જાતિ બતાવી કહી આ વાત
  • ભગવાન શિવની જાતિ પણ જણાવી

JNUના કુલપતિ શાંતિશ્રી ધુલિપુડીએ હિન્દુ દેવી દેવતાઓની જાતિને લઈને ટિપ્પણી કરી છે. તેમણે એક સમારંભમાં કહ્યું કે, ભગવાન શિવ એસસી અથવા એસટી હોવા જોઈએ, કેમ કે તેઓ શ્મશાનમાં બેસે છે. તેમણે કહ્યું કે, મનુસ્મૃતિ અનુસાર તમામ મહિલાઓ શુદ્ર છે, એટલા માટે કોઈ પણ મહિલા એ દાવો ન કરી શકે કે તે બ્રાહ્મણ અથવા કંઈક બીજૂ છે. તેમણે દાવો કર્યો છે કે, હિન્દુ દેવી દેવતાઓ ઉંચ્ચી જાતિના નથી. કુલપતિએ દેશમાં જાતિ સંબંધિ હિંસાને લઈને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે કહ્યું કે, મનુષ્ય જાતિના વિજ્ઞાન અનુસાર દેવતા ઉચ્ચ જાતિના નથી. કુલપતિ સોમવારે ડો. બી. આર. આંબેડકર વિચાર જેંડર જસ્ટિસ: ડિકોડિંગ દ યુનિફોર્મ સિવિલ કોડ ના અવસર પર બોલી રહ્યા હતા. 

તેમણે પોતાના વ્યાખ્યાનમાં કહ્યું કે, મનુસ્મૃતિમાં મહિલાઓને શુદ્રનો દરજ્જો આપવામાં આવ્યો છે. ત્યારે આવા સમયે કોઈ પણ મહિલા એ દાવો ન કરી શકે છે કે, તે બ્રાહ્મણ કે અન્ય કંઈ છે. તેમણે કહ્યું કે, મહિલાઓને જાતિ પોતાના પતિ અથવા પિતા તરફથી મળે છે. 

તેમણે કહ્યું કે, ભગવાન શિવ અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિમાંથી હશે, કારણ કે તેઓ સ્મશાનમાં બેસે છે. તેમની પાસે સાપ રહે છે. તેઓ ખૂબ ઓછા કપડા પહેરે છે. તેમને નથી લાગતુ કે બ્રાહ્મણ શ્મશાનમાં બેસી શકે.

કુલપતિ અહીંથી અટક્યા નહોતા. તેમણે કહ્યુ કે, માતા લક્ષ્મી, શક્તિ ત્યાં સુધી કે ભગવાન જગન્નાથ પણ મનુષ્ય જાતિ વિજ્ઞાન અનુસાર ઉચ્ચ જાતિમાંથી નથી આવતા. તેઓ હકીકતમાં આદિવાસી મૂળના છે. ત્યારે આવા સમયે હાલમાં પણ આપણે શા માટે ભેદભાવ રાખીએ છીએ. તે ખૂબ જ અમાનવીય છે. તેમણે કહ્યું કે, એ ખૂબ જ મહત્વનું છે કે, બાબાસાહેબના વિચારો પર ફેરવિચારણ કરવાની વાત કરી રહ્યા હતા.દેશમાં આધુનિક ભારતનો કોઈ નેતા નથી થયો, જે આટલા મહાન વિચારક હોય.તેમણે વિચાર રજૂ કર્યો હતો કે, હિન્દુ ધર્મ એક ધર્મ નહીં પણ જીવન જીવવાની રીત છે, તો આપણે કોઈ પણ પ્રકારની ટિકાથી શા માટે ભયભીત થઈ જઈએ છીએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ