બ્રેકિંગ ન્યુઝ
સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ
અમદાવાદ: 23 જૂનથી શરૂ થશે પીજી નીટની પરીક્ષા, પરીક્ષામાં લાગુ કરાશે નવી પદ્ધતિ
અમદાવાદ: CAની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર, ચાર વિષયની લેવાશે ઓનલાઈન પરીક્ષા
લોકસભાના પાંચમા ચરણમાં કુલ 58.73 ટકા મતદાન નોંધાયું
અમદાવાદમાં 4 આતંકીની ધરપકડ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ATSને પાઠવ્યા અભિનંદન
અમદાવાદ એરપોર્ટ પર ચાર આંતકીની ધરપકડ મુદ્દે DGP વિકાસ સહાય યોજી પ્રેસવાર્તા
અમદાવાદમાં ઘૂસ્યા ચાર આતંકીઓ
વડોદરામાં માત્ર બે જ દિવસમાં 9 લોકોના મોત
ઈરાનના રાષ્ટ્રપતિનું મોત
આજે PM મોદીનો રોડ શો
VTV / ગુજરાત / અમદાવાદ / કોવિશીલ્ડ રસી લીધી હોય તો ડૉક્ટરની આ સલાહ માનજો, જાણો ડૉ.તુષાર પટેલે શું કહ્યું
Last Updated: 07:21 PM, 30 April 2024
કોરોનાની દવા બનાવતી બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ UKની કાર્ટમાં કોવિશીલ્ડ વેક્સિનની આડઅસર થતી હોવાનો સ્વીકાર કર્યો છે. જે બાદ કોવિશીલ્ડ વેક્સિન લેનારા તમામ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે અમદાવાદના ડૉક્ટર તુષાર પટેલે આ મામલે પ્રતિક્રિયા આપી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
તેમણે કહ્યું કે, આડઅસરના સમાચારથી લોકોને ગભરાવાની જરૂર નથી. વેક્સિનના કારણે જ હાર્ટએટેકની ઘટનામાં વધારો થયો, તે વાતમાં બિલકુલ તથ્ય નથી. હાર્ટ એટેકના બનાવ પહેલા પણ બનતા હતા, પરંતુ સામે આવતા નહતા. જેથી લોકોએ વેક્સિનની આડઅસરથી ગભરાવાને બદલે ઓબ્ઝર્વ કરવાની જરૂર છે. વધુમાં તેમણે કહ્યું કે, દરેક વેક્સિનમાં આડઅસર જોવા મળે છે.
વાંચવા જેવું: ગૌણ સેવા મંડળે મોકૂફ પરીક્ષાની નવી તારીખો કરી જાહેર, આ તારીખથી નીકળશે કોલલેટર
ડૉક્ટર તુષાર પટેલે કહ્યું કે, આ વેક્સિન બહુ ટૂંકા પરિક્ષણો બાદ માર્કેટમાં આવી હતી. જેથી આપણે એ પણ ભૂલવું ન જોઈએ કે, વેક્સિનના કારણે અનેક લોકોના જીવ બચ્યા છે. વધુમાં હાર્ટ એટેક મામલે તેમણે કહ્યું કે, વેક્સિનના કારણે નહીં પરંતુ, ફાસ્ટ ફૂડ, જંગફૂડ અને બદલાયેલી જીવનશૈલીના કારણે યુવાનોમાં હાર્ટએટેક આવવાના પ્રમાણમાં વધારો થયો છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT