બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સ્માર્ટ મીટરમાં બિલ કેમ વધારે આવે છે? PGVCLના ચીફ એન્જિનિયર આરજે વાળાએ જણાવ્યું કારણ

રાજકોટ / સ્માર્ટ મીટરમાં બિલ કેમ વધારે આવે છે? PGVCLના ચીફ એન્જિનિયર આરજે વાળાએ જણાવ્યું કારણ

Last Updated: 08:09 PM, 18 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: આર.જે. વાળાએ કહ્યું કે, PGVCLમાં રૂપિયા 2 હજાર કરોડના ખર્ચે 23.66 લાખ સ્માર્ટ મીટર લગાવવાની યોજના છે. તેના ભાગરૂપે અત્યાર સુધી 10 હજાર સ્માર્ટ મીટર લગાવ્યા છે.

ગુજરાતમાં પ્રિપેઈડ સ્માર્ટ મીટરને લઈ લોકોમાં ચર્ચા ઉઠી છે. ત્યારે રાજકોટમાં PGVCLના ચીફ એન્જિનિયર આર.જે. વાળાએ પત્રકાર પરિષદ કરી સ્માર્ટ મીટર અંગે લોકોમાં ઉઠી રહેલા સવાલો અંગે સ્પષ્ટતા કરી હતી.

PGVCLએ સ્માર્ટ મીટર અંગે કરી સ્પષ્ટતા

આર.જે. વાળાએ કહ્યું કે, PGVCLમાં રૂપિયા 2 હજાર કરોડના ખર્ચે 23.66 લાખ સ્માર્ટ મીટર લગાવવાની યોજના છે. તેના ભાગરૂપે અત્યાર સુધી 10 હજાર સ્માર્ટ મીટર લગાવ્યા છે. જેમાંથી 7 હજાર સ્માર્ટ મીટર કાર્યરત થઈ ગયા છે અને 3 હજાર સ્માર્ટ મીટર ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. જ્યારે 25 સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવાયા છે.

વાંચવા જેવું: દમણના દિપાલી બારમાં પાર્ટી કરવા ગયેલા યુવકો વચ્ચે બબાલ, તીક્ષ્ણ હથિયારથી કરેલા હુમલામાં એકનું મોત

"સિક્યોરિટી ડિપોઝિટ પેટે 60 લાખ પરત કર્યા"

તેમણે ઉમેર્યુ કે મોબાઈલ એપના માધ્યમથી બીલને ગ્રાહક ઓનલાઇન જોઈ શકશે. દૈનિક યુનિટનો વપરાશ અને એમાઉન્ટની ગ્રાહકને જાણ થશે. વીજ મીટર પોસ્ટ પેઈડથી પ્રિપેઈડમાં કન્વર્ટ કરતાં સિક્યોરિટી ડિપોઝિટ પરત અપાશે. PGVCLએ અત્યાર સુધી સિક્યોરિટી ડિપોઝિટ પેટે 60 લાખ પરત કર્યા છે. આ ઉપરાંત એનર્જી ચાર્જીસ પર 2 ટકા ડિસ્કાઉન્ટ આપવાની પ્રપોઝલ મૂકવામાં આવી છે. લોકોમાં સ્માર્ટ મીટર અંગે ઉભી થયેલી દ્વિધા અંગે કહ્યું કે 40 દિવસ પહેલાનું બીલ એડ થવાથી ગ્રાહકને ચાર્જ વધુ લાગે છે.

સંકળાયેલા મુદ્દાઓ

PGVCL News Smart Meter News Rajkot News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ