બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદ: 23 જૂનથી શરૂ થશે પીજી નીટની પરીક્ષા, પરીક્ષામાં લાગુ કરાશે નવી પદ્ધતિ
અમદાવાદ: CAની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર, ચાર વિષયની લેવાશે ઓનલાઈન પરીક્ષા
લોકસભાના પાંચમા ચરણમાં કુલ 58.73 ટકા મતદાન નોંધાયું
અમદાવાદમાં 4 આતંકીની ધરપકડ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ATSને પાઠવ્યા અભિનંદન
અમદાવાદ એરપોર્ટ પર ચાર આંતકીની ધરપકડ મુદ્દે DGP વિકાસ સહાય યોજી પ્રેસવાર્તા
અમદાવાદમાં ઘૂસ્યા ચાર આતંકીઓ
વડોદરામાં માત્ર બે જ દિવસમાં 9 લોકોના મોત
ઈરાનના રાષ્ટ્રપતિનું મોત
આજે PM મોદીનો રોડ શો
અક્ષય કુમાર સહિતના કેટલાંક કલાકારોએ કર્યું મતદાન
Last Updated: 05:56 PM, 30 April 2024
લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને એક પછી એક ઝટકા ખાવાનો વારો આવ્યો છે. પહેલા સુરતના ઉમેદવારની ઉમેદવારી રદ થયાં બાદ હવે એેમપીના ઈન્દોરના કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચી લીધી જે પછી પાર્ટીએ વૈકલ્પિક ઉમેદવાર પાસે ફોર્મ ભરાવ્યું પરંતુ હવે ઈન્દોર હાઈકોર્ટે કોંગ્રેસના વિકલ્પ ઉમેદવાર મોતી પટેલની અરજી ફગાવી દીધી છે. મોતી પટેલની અરજી પર સુનાવણી કરતા હાઇકોર્ટે ટ્રેનની વેઇટિંગ ટિકિટનું ઉદાહરણ આપ્યું હતું. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, જો ટિકિટ વેઇટલિસ્ટ હોય અને કન્ફર્મ ન થાય તો ટિકિટ આપોઆપ કેન્સલ થઇ જાય છે. આવી સ્થિતિમાં, જે પણ મુસાફર હોય, તેણે જનરલ ટિકિટ સાથે મુસાફરી કરવાની હોય છે અને તો જ તે દંડ વગર મુસાફરી કરી શકે છે. હાઇકોર્ટે અરજદાર મોતી પટેલને ચૂંટણી પંચમાં જવા સૂચન કર્યું હતું.
ADVERTISEMENT
ડમી ઉમેદવાર મોતી પટેલે કરી હતી હાઈકોર્ટમાં અરજી
હકીકતમાં ડમી ઉમેદવાર મોતી પટેલે કોંગ્રેસના ઉમેદવાર અક્ષય બામનું નામાંકન પરત ખેંચાયા બાદ હાઈકોર્ટમાં અરજી કરી હતી. મોતી પટેલે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે, નિયમ મુજબ જો કોંગ્રેસના ઉમેદવારનું નામાંકન રદ થાય કે નામ પાછું ખેંચી લે તો ડમી ઉમેદવારને સત્તાવાર ઉમેદવાર ગણવામાં આવે છે. જો બામ પોતાનું નામાંકન પાછું ખેંચી લે તો તેમને કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનો અધિકાર છે. જો કે કોર્ટે તેમની આ દલીલને માન્ય રાખી નહતી અને અરજી ફગાવી દીધી હતી.
ADVERTISEMENT
સુરતમાં કોંગ્રેસના ઉમેદવારની ઉમેદવારી કેન્સલ
ગુજરાતના સુરતમાં પણ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. નકલી સહીઓઓનો આરોપ લાગતાં કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર નિલેશ કૂંભાણીનું નામાંકન રદ થતાં ભાજપના મુકેશ દલાલને બિન હરીફ જાહેર કરાયાં હતા.
ભાજપે 400ને પાર કરવાનો નારો આપતા દેશમાં એક સીટ બિનહરીફ જીતી લીધી છે, બે પર જીત પહેલાથી જ નિશ્ચિત માનવામાં આવી રહી છે. કારણ કે મધ્ય પ્રદેશની ખજુરાહો બેઠક પર સહીના અભાવે ઈન્ડીયા ગઠબંધનના ઉમેદવાર મીરા યાદવનું નામાંકન રદ કરવામાં આવ્યું હતું. ઈન્દોરથી કોંગ્રેસના ઉમેદવાર અક્ષય બામે પોતાનું નામાંકન પાછું ખેંચી હતું અને તેઓ ભાજપમાં જોડાયા હતા જે પછી કોંગ્રેસ મોતી પટેલને ડમી ઉમેદવાર બનાવ્યાં હતા. પરંતુ હવે તેમની અરજી પણ રદ થઈ હોવાથી ઈન્દોર બેઠક પર ભાજપના સંજય લાલવાણી બિન હરીફ જાહેર થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT