બ્રેકિંગ ન્યુઝ
લોકસભાના પાંચમા ચરણમાં કુલ 58.73 ટકા મતદાન નોંધાયું
અમદાવાદમાં 4 આતંકીની ધરપકડ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ATSને પાઠવ્યા અભિનંદન
અમદાવાદ એરપોર્ટ પર ચાર આંતકીની ધરપકડ મુદ્દે DGP વિકાસ સહાય યોજી પ્રેસવાર્તા
અમદાવાદમાં ઘૂસ્યા ચાર આતંકીઓ
વડોદરામાં માત્ર બે જ દિવસમાં 9 લોકોના મોત
ઈરાનના રાષ્ટ્રપતિનું મોત
આજે PM મોદીનો રોડ શો
અક્ષય કુમાર સહિતના કેટલાંક કલાકારોએ કર્યું મતદાન
આજે લોકસભા ચૂંટણીનું પાંચમાં તબક્કાનું મતદાન
બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ
Last Updated: 04:51 PM, 30 April 2024
દુનિયામાં આપણને મોટાભાગે ઘણા પ્રકારના લોકો મળે છે અને ક્યારેક તેમના સાથે મિત્રતા તો ક્યારેક દુશ્મની થઈ જાય છે. જીવનમાં તમારે કયા લોકોથી દૂર રહેવું જોઈએ. કોની સાથે મિત્રતા કરવી જોઈએ તેના વિશે આચાર્ય ચાણક્યએ પોતાની નીતિમાં લોકોને અમુક માર્ગદર્શન આપ્યું છે.
ADVERTISEMENT
મૂર્ખ વ્યક્તિ સાથે ન કરો મિત્રતા
ADVERTISEMENT
આચાર્ય ચાણક્યએ મુર્ખ વ્યક્તિને પશુ સમાન ગણાવ્યા છે. મનુષ્ય હોવા છતાં જેનામાં બુદ્ધિ અને વિવેક નથી તે પશુના સમાન હોય છે. માટે તેની સંગત ન કરવી જોઈએ. એવા લોકોની સંગત કરવાથી વ્યક્તિ હંમેશા સંકટોથી ઘેરાયેલો રહે છે. માટે બુદ્ધિમાન શત્રુ સારો પરંતુ મુર્ખ મુત્ર નહીં.
અહંકારી વ્યક્તિ સાથે ન કરો મિત્રતા
ચાણક્ય કહે છે કે જે વ્યક્તિનો સ્વભાવ અહંકારથી ભરેલો છે અને પોતાને જ સૌથી વધારે જ્ઞાની માંગે છે તો તેની સાથે ક્યારેય મિત્રતા ન કરો. એવા લોકો બિલાડીની સમાન હોય છે જેના પર ક્યારેય વિશ્વાસ ન કરી શકાય. આ પોતાને મોટા બતાવવા માટે તમારી છબી ખરાબ કરી શકે છે અને તમારૂ અપમાન પણ કરી શકે છે.
લોભી વ્યક્તિથી રહો દૂર
જીવનમાં ક્યારેય લોભી લોકોનો સાથ ન આપવો જોઈએ. હંમેશા એવા લોકો સાથે મિત્રતા કરો જે તમારા સમાન હોય. પોતાનાથી કમજોર અને લોભી વ્યક્તિ સાથે મિત્રતા ક્યારેય ન કરવી જોઈએ. લોભી વ્યક્તિ પોતાના લાભ માટે તમને ક્યારેય પણ છોડી શકે છે.
વધુ વાંચો: ઉનાળામાં વેક્સિંગ કરાવ્યા બાદ હાથ-પગ પર પિમ્પલ્સ દેખાય, તો અપનાવો આ સરળ ઉપાયો
આવા વ્યક્તિ હંમેશા આપે છે દગો
આચાર્ય ચાણક્ય અનુસાર દુર્જન વ્યક્તિને પોતાની સાથે ક્યારેય ન રાખવા જોઈએ. એવા લોકો સાંપથી પણ વધારે ખતરનાક હોય છે. સાંપ તો કાળના વશ હોય છે જ્યારે વ્યક્તિનું મૃત્યુ આવે છે ત્યારે જ તે વ્યક્તિને ડંખ મારે છે પરંતુ દુર્જન વ્યક્તિનો કોઈ ભરોષો નહીં. તે ગમે ત્યારે તમને દગો આપી શકે છે. માટે હંમેશા સારા અને સંસ્કારી લોકો સાથે જ મિત્રતા કરો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT