બ્રેકિંગ ન્યુઝ
સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય
રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત
સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ
અમદાવાદ: 23 જૂનથી શરૂ થશે પીજી નીટની પરીક્ષા, પરીક્ષામાં લાગુ કરાશે નવી પદ્ધતિ
અમદાવાદ: CAની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર, ચાર વિષયની લેવાશે ઓનલાઈન પરીક્ષા
લોકસભાના પાંચમા ચરણમાં કુલ 58.73 ટકા મતદાન નોંધાયું
અમદાવાદમાં 4 આતંકીની ધરપકડ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ATSને પાઠવ્યા અભિનંદન
અમદાવાદ એરપોર્ટ પર ચાર આંતકીની ધરપકડ મુદ્દે DGP વિકાસ સહાય યોજી પ્રેસવાર્તા
અમદાવાદમાં ઘૂસ્યા ચાર આતંકીઓ
વડોદરામાં માત્ર બે જ દિવસમાં 9 લોકોના મોત
VTV / મનોરંજન / કોણ છે એક્ટ્રેસ અમૃતા પાંડે? જેનો પોતાના જ ઘરમાંથી મળી આવ્યો મૃતદેહ, વોટ્સએપની છેલ્લી પોસ્ટે ચોંકાવી દીધા
Last Updated: 08:44 AM, 30 April 2024
ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક દુખદ સમાચાર આવી રહ્યા છે, જેના કારણે પ્રાદેશિક સિનેમાના લોકો ચોંકી શોકમાં ડૂબી ગયા છે. તાજેતરમાં જ માહિતી મળી છે કે અભિનેત્રી અમૃતા પાંડેનું અવસાન થયું છે અને તે 27 એપ્રિલે બિહારમાં તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવી હતી. કેટલાક મીડિયા અહેવાલો અનુસાર, અમૃતાએ તેના મૃત્યુના થોડા કલાકો પહેલા તેના વોટ્સએપ સ્ટેટસ પર એક રહસ્યમય પોસ્ટ શેર કરી હતી. અમૃતાએ શા માટે આત્મહત્યા કરી તેનું કારણ હજુ સામે આવ્યું નથી, પરંતુ મૃત્યુ પહેલા અભિનેત્રીએ તેના વોટ્સએપ સ્ટેટસ દ્વારા કંઈક કહેવાનો પ્રયાસ કર્યો હતો. 27 વર્ષની અમૃતા પાંડેની છેલ્લી વોટ્સએપ પોસ્ટમાં લખ્યું હતું કે, 'બે હોડીમાં સવાર હતું તેનું જીવન, અમે અમારી બોટ ડૂબાડીને તેની સફર સરળ બનાવી દીધી.'
ADVERTISEMENT
27 એપ્રિલે જોગસર પોલીસને આદમપુર શિપ ઘાટના દિવ્યધર્મ એપાર્ટમેન્ટમાં એક મહિલાની આત્મહત્યાના સમાચાર મળ્યા હતા. જ્યારે તેઓ પરિસરમાં પહોંચ્યા અને ઘરની અંદર ગયા તો તેમને પલંગ પર અભિનેત્રી અમૃતા પાંડેની લાશ પડી હતી. અહેવાલ અનુસાર, અમૃતાની બહેન બપોરે 3:30 વાગ્યાની આસપાસ તેના રૂમમાં આવી અને અભિનેત્રીને લટકતી જોઈ. તેને બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા અને અમૃતાને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી, પરંતુ ત્યાં પહોંચતા જ તેને મૃત જાહેર કરવામાં આવી. હાલ જોગસર પોલીસે તેના મોતની તપાસ હાથ ધરી છે. પોલીસે ઘટનાસ્થળની એફએસએલ દ્વારા તપાસ કરાવી, જ્યાંથી ગળામાં લગાવેલો સાડીનો ફંદો, મોબાઈલ ફોન અને અન્ય વસ્તુઓ જપ્ત કરી લેવામાં આવી.
ADVERTISEMENT
અભિનેત્રીએ ઘણી સિરિયલો અને ફિલ્મોમાં પણ ભૂમિકાઓ ભજવી છે. તેણે ભોજપુરી સુપરસ્ટાર ખેસારી લાલ યાદવ સાથે ફિલ્મ 'દીવાનપન'માં પણ કામ કર્યું હતું. ભોજપુરી ફિલ્મો સિવાય અમૃતાએ કેટલીક વેબ સિરીઝમાં પણ કામ કર્યું હતું. હાલમાં જ અમૃતાની હોરર વેબ સિરીઝ પ્રતિશોધનો પહેલો ભાગ રિલીઝ થયો છે. આ અંગે તે ખૂબ જ ઉત્સાહિત પણ હતી. પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું કે દરેક એન્ગલથી તપાસ કરવામાં આવી રહી છે.
એક અહેવાલ મુજબ અમૃતાના પરિવારે દાવો કર્યો છે કે તે પોતાની કારકિર્દીને લઈને ચિંતિત હતી કારણ કે તેને કામની પૂરતી તકો ન મળી રહી હતી. કથિત રીતે અમૃતા ડિપ્રેશન સાથે પણ લડી રહી હતી અને ઘણી ચિંતામાં હતી. પરિવારે જણાવ્યું કે ઘરમાં થોડા દિવસો પહેલા જ અમૃતાની બહેન વીણાના લગ્ન થયા હતા. શુક્રવારે રાત્રે તેઓએ ખૂબ જ મસ્તી કરી હતી. પછી અચાનક શું થયું, તે કોઈ સમજી શકતું નથી. તેઓએ જણાવ્યું કે અમૃતા પરિણીત છે, તેના લગ્ન 2022માં છત્તીસગઢના બિલાસપુરના રહેવાસી ચંદ્રમણી ઝાંગડ સાથે થયા હતા. તે મુંબઈમાં એનિમેશન એન્જિનિયર છે. દંપતીને કોઈ સંતાન નથી. તેની બહેનના કહેવા પ્રમાણે, અમૃતા તેના કરિયરને લઈને ખૂબ જ ચિંતિત હતી. તે ડિપ્રેશનમાં હતી. આ કારણોસર તેની સારવાર પણ ચાલી રહી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT