બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / ડાયાબિટીસના દર્દી દિવસમાં કેટલા તરબૂચ ખાઈ શકે છે? જાણો તરબૂચ ખાવાની સાચી રીત
Last Updated: 05:38 PM, 1 April 2026
How Much Watermelon Eat In Diabetes: ઉનાળા માટે તરબૂચ એક સારું અને પાણીથી ભરપૂર ફળ છે. તરબૂચમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે. તે કુદરતી રીતે મીઠું અને લાલ રંગનું હોય છે. ચાલો જાણીએ કે ડાયાબિટીસ હોય તે લોકો તરબૂચ ખાઈ શકે છે કે નહીં અને ડાયાબિટીસના દર્દી દિવસમાં કેટલું તરબૂચ ખાઈ શકે છે.
ADVERTISEMENT
ડાયાબિટીસના દર્દીઓ વિચાર્યા વિના કોઈ ફળ ખાઈ શકતા નથી, કારણ કે ફળોમાં કુદરતી મીઠાશ વધુ હોય છે. તેથી ડાયાબિટીસના દર્દીઓએ તેમની ખાવાની આદતો વિશે ખૂબ કાળજી રાખવાની જરૂર હોય છે. તેમના આહારમાં થોડું ઓછુ કે વધારે તેમના બ્લડ સુગરને સીધી અસર કરી શકે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓને શક્ય તેટલા ફળો અને શાકભાજી ખાવાની સલાહ આપવામાં આવે છે. જો કે ફળોની પસંદગી ખૂબ કાળજીપૂર્વક કરવી જોઈએ. ચાલો ડાયેટિશિયન પાસેથી શીખીએ કે ડાયાબિટીસમાં તરબૂચ ખાવું કે નહીં. જો તમે તે ખાઓ છો, તો તમારે દિવસમાં કેટલું તરબૂચ ખાવું જોઈએ?
તરબૂચમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ?
ADVERTISEMENT
તરબૂચ એક સ્વાદિષ્ટ, મીઠું અને રસદાર ફળ છે. તે ફાઇબર અને પાણીથી ભરપૂર હોય છે. ડાયાબિટીસના દર્દીઓ પણ તરબૂચનો સ્વાદ માણી શકે છે, પરંતુ તેને મધ્યમ માત્રામાં ખાવું જોઈએ. ન્યુટ્રીશિયન અને ડાયેટિશિયન કહે છે કે તરબૂચનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ 70 થી 72 સુધીનો હોય છે. કારણ કે તરબૂચમાં ઘણું પાણી હોય છે, તેથી તેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો થઇ જાય છે.
શું તમે ડાયાબિટીસમાં તરબૂચ ખાઈ શકો છો?
ADVERTISEMENT
ડાયટિશિયનોના મતે ખોરાકનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ દર્શાવે છે કે તે તમારા બ્લડ સુગર લેવલને કેટલી ઝડપથી અસર કરે છે. ખોરાકનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ 0 થી 100 ની વચ્ચે માપવામાં આવે છે. ગ્લાયકેમિક ઇન્ડેક્સ જેટલો ઊંચો હશે, તેટલી ઝડપથી તે બ્લડ સુગર લેવલ વધારશે. તરબૂચમાં GA 70 થી ઉપર હોવા છતાં તે મધ્યમ માત્રામાં ખાઈ શકાય છે. તેમાં ફાઇબર અને પાણીનું પ્રમાણ વધુ હોવાથી તેની અસરો ધીમી અને હળવી હોય છે. હા, તમે સ્વાદ ચાખવા માટે તરબૂચ ખાઈ શકો છો.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ હેલ્થ / કસરત એવી કરો કે ફૂલવા લાગે શ્વાસ, આનાથી 46 ટકા ઓછું થાય છે મૃત્યુનું જોખમ!
ડાયાબિટીસના દર્દીઓ દિવસમાં કેટલા તરબૂચ ખાઈ શકે?
ADVERTISEMENT
ડાયાબિટીસના દર્દીઓ 0-50 ના ગ્લાયકેમિક ઇન્ડેક્સવાળા ફળો ખાઈ શકે છે. તરબૂચમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ વધારે હોવા છતાં જ્યારે તમે લગભગ 120 ગ્રામ તરબૂચ ખાઓ છો, ત્યારે તેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઘટીને 5 થી 6 થઈ જાય છે. તેથી ડાયાબિટીસના દર્દીઓ તરબૂચ ખાઈ શકે છે. આનાથી વધુ તરબૂચ ખાવાનું ટાળવું જોઈએ. તેમજ તરબૂચનો રસ પીવાનું પણ ટાળવું જોઈએ.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.