બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / હવે તલાટી મંડળે સરકાર સામે બાંયો ચડાવી, પંચાયત સિવાયના કોઈ પણ મહેસુલી કામ નહીં કરે
Last Updated: 10:28 PM, 2 July 2026
રાજ્યના તલાટી મહામંડળે પોતાની લાંબા સમયથી પડતર માંગણીઓને લઈને રાજ્ય સરકાર સામે કડક વલણ અપનાવ્યું છે. મહામંડળે જાહેરાત કરી છે કે હવે પંચાયત હસ્તકની કામગીરી સિવાય કોઈપણ પ્રકારની મહેસુલી કામગીરી કરવામાં આવશે નહીં. તલાટી કમ મંત્રીના જોબચાર્ટનો તાત્કાલિક અમલ કરવામાં આવે તેવી મુખ્ય માંગ સાથે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.
ADVERTISEMENT
તલાટી મહામંડળના જણાવ્યા મુજબ, તલાટી કમ મંત્રીને પંચાયત વિભાગ ઉપરાંત અનેક મહેસુલી કામગીરી સોંપવામાં આવે છે, જેના કારણે નિયમિત કામગીરી પર અસર પડી રહી છે. તેથી સરકાર દ્વારા તાત્કાલિક જોબચાર્ટ અમલમાં મૂકવામાં આવે અને તલાટીઓ પાસેથી વધારાની મહેસુલી કામગીરી દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે.
આ મુદ્દે તલાટી મહામંડળે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ પંચાયત મંત્રી ઋષિકેશ પટેલને પત્ર લખીને પોતાની માંગણીઓથી અવગત કરાવ્યા છે. પત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જ્યાં સુધી તલાટી કમ મંત્રીનો જોબચાર્ટ અમલમાં નહીં આવે, ત્યાં સુધી પંચાયત હસ્તકની કામગીરી સિવાયની કોઈપણ મહેસુલી કામગીરી કરવામાં આવશે નહીં.
ADVERTISEMENT
તલાટી મહામંડળના આ નિર્ણયથી રાજ્યમાં વિવિધ મહેસુલી કામગીરી પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે સરકાર આ રજૂઆત પર શું નિર્ણય લે છે અને તલાટીઓની માંગણીઓ અંગે શું વલણ અપનાવે છે તેના પર સૌની નજર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.