બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:20 AM, 30 June 2026
કેન્સર સૌથી ગંભીર બીમારી છે. તેનું નામ સાંભળતા જ લોકો ડરી જાય છે. તેના કેસ ઝડપથી વધી રહ્યા છે. આથી લોકો ઘણીવાર પ્રશ્ન કરે છે કે કેન્સરનું અસલી કારણ શું છે. તેને "કાર્સિનોજેન્સ" કહેવામાં આવે છે, જેનો મતલબ કેન્સર પેદા કરતા તત્વ છે. લાંબા સમય સુધી તેમના સંપર્કમાં રહેવાથી કેન્સર થવાનું જોખમ વધે છે. આજે તમને 10 કાર્સિનોજેન્સ જણાવીશું. જેને WHO ગ્રુપ 1 ની કેટેગરીમાં રાખે છે. આમાંથી ઘણા આપણા રોજિંદા જીવનનો હિસ્સો છે. ચાલો આ ટોપના 10 કેન્સર પેદા કરતા તત્વ વિષે જાણીએ.
ADVERTISEMENT
ઘણા લોકો દરરોજ સોપારીનું સેવન કરે છે. તેઓ માને છે કે તે તમાકુ કે સિગારેટ જેટલું ખતરનાક નથી પરંતુ આ માન્યતા સંપૂર્ણપણે ખોટી છે. કલાકો સુધી મોંમાં સોપારી રાખવાથી ઓરલ સબમ્યુકોસ ફાઇબ્રોસિસ થાય છે, જે કેન્સર તરફ દોરી શકે છે.
ADVERTISEMENT
બધા જાને છે કે નિયમિત તમાકુનો ઉપયોગ કેન્સરના સૌથી મોટા કારણોમાંનું એક છે. તમાકુનું સેવન ગળા, મોં, ફેફસાં, અન્નનળી અને બીજા ઘણા પ્રકારના કેન્સર થવાનું જોખમ વધારે છે. જો તમે સિગારેટ, બીડી, હુક્કા, ખૈની કે ગુટખાનો ઉપયોગ કરી રહ્યા છો તો આજે જ બંધ કરો.
ADVERTISEMENT
જો તમે ધૂમ્રપાન ન કરો પરંતુ જે કોઈ એવું કરે છે તેના સંપર્કમાં આવો તો પણ કેન્સરનું જોખમ વધે છે. જ્યારે તમે ખરેખર ધૂમ્રપાન કર્યા વગર ધૂમ્રપાનના સંપર્કમાં આવો છો ત્યારે તેને પેસિવ સ્મોકિંગ કહેવામાં આવે છે.
ADVERTISEMENT
દારૂનું સેવન કેન્સર માટે સૌથી મોટા જોખમી પરિબળોમાંનું એક છે. લોકો જેટલું વધારે પીવે છે તેટલું કેન્સરનું જોખમ વધે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
હ્યુમન પેપિલોમાવાયરસ (HPV) એક સામાન્ય વાયરસ છે જેની લાંબા ગાળાની હાજરી સર્વાઇકલ કેન્સરનું જોખમ વધારે છે. કેન્સરનું જોખમ ઘટાડવા માટે વેક્સીન લેવી ખૂબ જ જરૂરી છે. નિયમિત ચેકીંગ પણ આ ફેરફારોને વહેલા ઓળખવામાં મદદ કરે છે.
હેપેટાઇટિસ B અને C એ વાયરસ છે જે લીવરને ઇન્ફેક્શન લગાવે છે. જો આ ઇન્ફેક્શન લાંબા સમય સુધી ચાલુ રહે તો લીવર કેન્સરનું જોખમ વધે છે.
વાયુ પ્રદૂષણ પણ કેન્સરનું કારણ બનતા મુખ્ય પરિબળોમાંનું એક છે. આથી બહાર જતી વખતે N-95 માસ્ક પહેરવાની અને ઘરે એર પ્યુરિફાયર લગાવવાની ભલામણ કરે છે.
માર્કેટમાં મળતા પ્રોસેસ્ડ મીટને પણ ટાળવું જોઈએ. WHO અનુસાર તેને ગ્રુપ 1 કાર્સિનોજેન કેટેગરીમાં મુકવામાં આવ્યો છે. જેમાં સોસેજ, બેકન, સલામી, હોટ ડોગ્સ અને હેમ જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે.
આ તત્વ સામાન્ય રીતે સ્ટોર કરેલા અનાજમાં બને છે. ખાસ કરીને વરસાદની ઋતુમાં જો તમે ઘઉં, મગફળી કે કોઈપણ અનાજનો સ્ટોર કરો છો અને તેના પર કોઈપણ પ્રકારનું ગ્રોથ થઈ રહી હોય તો તેને ખાવાનું ટાળો. તેનાથી એફ્લાટોક્સિન રિલીઝ થઈ શકે છે જે કેન્સરનું જોખમ વધારી શકે છે.
આ લિસ્ટમાં 10મા ક્રમે સૂર્યમાંથી નીકળતા હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણો કે યુવી કિરણો પણ આવે છે. તેના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી ત્વચા પર ટેનિંગ બેડ થઈ શકે છે જે અમુક કિસ્સાઓમાં કેન્સરનું કારણ પણ બની શકે છે. આથી સનસ્ક્રીન લગાવવું ખૂબ જ જરૂરી છે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.