બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / હર્ષ પંડ્યાને આત્મહત્યા માટે 'મજબૂર' કરનાર 4 ડોક્ટરોની થશે ધરપકડ! પિતાએ દાખલ કરી ફરિયાદ
Last Updated: 11:09 AM, 16 August 2026
સુરત સિવિલ સરકારી મેડિકલ કોલેજમાં MD માઇક્રોબાયોલોજીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા 30 વર્ષીય રેસિડન્ટ ડૉ. હર્ષ પંડ્યાના આપઘાત મામલે પિતાએ ખટોદરા પોલીસ મથકે ચાર સિનિયર રેસિડન્ટ ડૉક્ટરો વિરુદ્ધ આપઘાત માટે દુષ્પ્રેરણા, એટ્રોસિટી એક્ટ સહિતની ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT
કોણ છે 4 ડોક્ટર
હર્ષ પંડ્યાને આત્મહત્યા માટે 'મજબૂર' કરનાર અને તેમને માનસિક યાતના આપનાર ડોક્ટરમાં ડૉ. નિરાલી વસાવે, ડૉ. અનુજ મહેશ્વરી, ડૉ. દીક્ષિતા ઘેવરિયા અને ડૉ. હિના ભુત સામેલ છે.
ADVERTISEMENT
મૃતકના પિતા સુભાષચંદ્રે શું કહ્યું
મૃતકના પિતા સુભાષચંદ્રે આક્ષેપ કર્યો છે કે, સિનિયરોને SC હોવાની જાણ થતાં જ તેમના દીકરાને નિશાન બનાવાયો હતો, ડોક્ટરો જાતિવાચક કોમેન્ટ કરતાં અને વધુ પડતું કામ આપીને પરેશાન કરતા હતા.
ADVERTISEMENT
વધુ વાંચો : ગીરમાં પત્તે રમતાં ઝડપાયાં અમદાવાદના 9 જુગારીઓ, 2 લાખની રોકડ સાથે લાખોનો મુદ્દામાલ જપ્ત
તમામ ચારેય ડોક્ટરની થશે ધરપકડ
ADVERTISEMENT
પિતાની ફરિયાદ બાદ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી શકે છે. આ 4 ડોક્ટરોએ ડો.હર્ષ પંડ્યાને અસહ્ય ત્રાસ આપતાં હતા અને આથી કંટાળીને તેમણે આપઘાત કરી લીધો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.