ઘણી વખત આપણા જીવનમાં સમસ્યાઓ આવવાની શરુ થઇ જાય છે અને આપણને ખબર પણ નથી પડતી કે તેની પાછળનું મુખ્ય કારણ શું છે. આ સમયગાળામાં જો તમે ઇચ્છો તો વાસ્તુશાસ્ત્રની મદદ લઈ શકો છો. જો તમે વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવેલ ટીપ્સ ફોલો કરશો તો બગડેલા કામ સુધરવા લાગે છે. આવો જાણીએ વાસ્તુશાસ્ત્રની કેટલીક ખાસ ટીપ્સ.
સુંદર કાંડ અથવા ગીતા ઓશીકા નીચે રાખવાથી થાય છે ફાયદો
એવું માનવામાં આવે છે કે જો તમે રાત્રે ઓશીકા નીચે ગીતા અથવા સુંદરકાંડ રાખીને સૂઈ જાઓ તો તે તમને સારી ઊંઘ આવે છે અને તમારા કાર્યમાં પ્રગતિ પણ કરી શકો છો. આ સાથે જ કાર્યક્ષેત્રમાં પણ સફળતા પ્રાપ્ત થાય છે.
મૂળાનો પ્રયોગ છે ફાયદાકારક
વાસ્તુ શાસ્ત્રમાં મૂળાના ઉપાયને પણ ખાસ ગણવામાં આવે છે. કહેવાય છે કે, જો કોઇ વ્યક્તિ રાતે ઓશીકા નીચે મૂળો રાખીને સૂવાથી અને સવારે વહેલા ઉઠીને તે મૂળાને શિવલિંગ પર ચઢાવવાથી રાહુનો દોષ દૂર થાય છે.
પતિ-પત્નીના અણબનાવનો અકસીર ઇલાજ
પતિ-પત્નીના સંબંધો સારા ન ચાલી રહ્યા હોય તે તે સમયે મંગળવારની રાતે મગ અને દાળને કોઈ લીલા રંગના કપડામાં બાંધીને ઓશીકા નીચે રાખવું જોઇએ. બીજા દિવસે આ કપડાને કોઇ કન્યાને દાન કરવું અથવા દુર્ગા મંદિરમાં રાખવું. આ ઉપાય કરવાથી પતિ-પત્નીમાં પ્રેમ વધે છે અને તેનાથી તમારી ઉંમરમાં પણ વધારો થાય છે.
રાત્રે સૂતી વખતે તાંબાના વાસણમાં જળ રાખીને સૂઇ જવું ત્યારબાદ બીજે દિવસે સવારે તે જળથી પોતાનો ચહેરો સાફ કરવો. જેનાથી તમારા ચહેરા પર ચમક જોવા મળશે.