1 જુલાઈએ ઈંગ્લેન્ડ સામે રમાનાર પાંચમી ટેસ્ટ માટે બીસીસીઆઈએ જસપ્રીત બુમરાહને કેપ્ટન બનાવ્યો છે. કોરોનાને કારણે રોહિત શર્માને આરામ આપવામાં આવ્યો છે.
IND vs ENG સીરિઝ
ટી 20 અને ODI મેચ માટે ટીમ જાહેરાત
7મી જુલાઈએ ટી20 સિરીઝની પ્રથમ મેચ રમાશે
ઈંગ્લેન્ડ પ્રવાસ પર યોજાનારી T20 અને ODI મેચોની શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. કોરોના પોઝિટિવને કારણે ટેસ્ટ મેચમાંથી બહાર રહેલો રોહિત શર્મા બંને સિરીઝમાં કેપ્ટનશિપ કરતો જોવા મળશે.મોટી વાત એ છે કે વિરાટ કોહલી, વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત, ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ, ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને શ્રેયસ અય્યર ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટી20 મેચમાં નહીં રમે. તેમને આરામ આપવામાં આવ્યો છે.
એક ટેસ્ટ બાદ ટી-20 મેચોની સિરીઝ રમાશે.
વાસ્તવમાં ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે 1 જુલાઈથી બર્મિંગહામમાં ટેસ્ટ મેચ રમાશે. આ મેચ પાંચ દિવસ સુધી ચાલશે, જે 5 જુલાઈએ સમાપ્ત થશે. તેના એક દિવસ પછી એટલે કે 7મી જુલાઈએ ટી20 સિરીઝની પ્રથમ મેચ રમાશે. આવી સ્થિતિમાં કોહલી, પંત, બુમરાહ અને શ્રેયસ પાંચ દિવસ સુધી ટેસ્ટ રમીને થાકી જશે. જેના કારણે તેમને આરામ આપવામાં આવ્યો છે.
રિષભ પંતને પ્રમોશન
સાઉથ આફ્રિકા સામેની ટી-20 શ્રેણીમાં કેપ્ટન્સી કરનાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત વાઇસ કેપ્ટને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ સાથે તેને મોટી જવાબદારી મળી છે અને પ્રમોશન થયું છે.
રોહિત શર્મા કોવિડ-19 પૉઝિટીવ
રોહિત શર્મા કોવિડ-19 પૉઝિટીવ છે અને હાલમાં તે આઈસોલેશનમાં છે. આજે ટીમ ઈન્ડિયાએ એજબેસ્ટોનમાં પ્રેક્ટિસ શરુ કરી હતી, પણ તેમાં કેપ્ટન રોહિતે ભાગ લીધો નથી. આ પરીક્ષણ કોરોનાવાયરસને કારણે વર્ષ 2021 માં રદ કરવામાં આવ્યું હતું. અત્યારે ટીમ ઇન્ડિયા શ્રેણીમાં 2-1થી આગળ છે. પણ તાજેતરમાં ન્યુઝીલેન્ડ સામે ક્લિન સ્વિપ કર્યા બાદ ઈંગ્લેન્ડનો જુસ્સો બુલંદ છે.