બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / અમદાવાદમાં વહુના પરિવારે વેવાઈને જાહેરમાં રહેંસી નાખ્યો,4 શખ્સો પાઈપ વડે તૂટી પડ્યાં, 22 સેકન્ડમાં 36 ફટકા માર્યા
Last Updated: 11:48 AM, 3 May 2026
Ahmedabad Anandnagar News: અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. જ્યાં જાહેરમાં એક યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી છે. સેટેલાઈટ વિસ્તારના રાજીવનગર નજીક જીવરાજ બ્રિજ નીચે બનેલી આ ઘટનાએ શહેરમાં ભયનો માહોલ ઉભો કરી દીધો છે. થોડા જ સેકન્ડોમાં ચાર હુમલાખોરોએ લાકડી અને લોખંડની પાઈપ વડે એવો બર્બર હુમલો કર્યો કે એક જીવતું માણસ મોતને ભેટ્યો. આ ઘટનાના CCTV ફૂટેજ વાયરલ થતા લોકોમાં ભારે રોષ અને ભય બંને ફેલાયા છે.
ADVERTISEMENT
માહિતી અનુસાર મૃતકની ઓળખ નટુ પરમાર તરીકે થઈ છે. ગઇકાલે 2 મેની મોડી રાત્રે તેઓ સિગારેટ પીવા માટે બહાર ગયા હતા ત્યારે અચાનક ચાર અસામાજિક તત્વોએ તેમની પર હુમલો કર્યો. હુમલાખોરો પાસે લાકડીઓ અને લોખંડની પાઈપ હતી. જેના વડે તેમણે નિર્દયતાપૂર્વક માર માર્યો. આ સમગ્ર ઘટના માત્ર 22 સેકન્ડમાં બની હતી. જેમાં હુમલાખોરોએ લગભગ 36 જેટલા ઘા કર્યા હોવાનું CCTVમાં સામે આવ્યું છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત નટુ પરમારને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું.
અમદાવાદના જીવરાજપાર્ક બ્રિજ નીચે આધેડનો પાઈપો ઝીંકીને લેવાયો જીવ, લોકો રસ્તા પર ઉતર્યાં...#Ahmedabad #CrimeNews #MurderCase #PublicProtest #LawAndOrder #GujaratNews #BreakingNews #VTVNews #VTVDigital pic.twitter.com/MJRlKn6CBk
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 3, 2026
ADVERTISEMENT
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ હત્યા પાછળ પારિવારિક વિવાદનું કારણ હોઈ શકે છે. નટુ પરમારના દીકરાએ પ્રેમ લગ્ન કર્યા હતા જેને લઈને વિવાદ ચાલતો હતો. આરોપ છે કે મૃતકની પુત્રવધૂના પરિવારે આ ઘટનાને અંજામ આપ્યો છે. ઘટનાના પહેલા દિવસે કેટલાક શખ્સોએ “અખબારનગરના ડોન” તરીકે ઓળખ આપીને ધમકી પણ આપી હતી. તેઓ મૂળ દીકરાને નિશાન બનાવવા આવ્યા હતા. પરંતુ અંતે હુમલો તેના પિતા નટુ પરમાર પર કરવામાં આવ્યો.

ADVERTISEMENT
આ ઘટનાના CCTV ફૂટેજે સમગ્ર મામલાને વધુ ગંભીર બનાવી દીધો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે ચારેય હુમલાખોરોએ જાહેરમાં બેફામ હુમલો કર્યો હતો. જેને જોઈ લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે. જાહેર રસ્તા પર આ રીતે થયેલી હત્યાએ પોલીસની કાર્યશૈલી પર પણ સવાલો ઉભા કર્યા છે. લોકોમાં ચર્ચા છે કે જો આવી ઘટના ખુલ્લેઆમ થઈ શકે, તો સામાન્ય નાગરિકની સુરક્ષા ક્યાં છે?
ઘટના બાદ મૃતકના પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો છે. પરિવારજનોએ રસ્તા પર બેસીને ધરણા શરૂ કર્યા છે અને આરોપીઓની તાત્કાલિક ધરપકડની માંગ કરી છે. રાજીવનગરથી જીવરાજ તરફ જતો માર્ગ પણ બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે ટ્રાફિક પર અસર પડી છે. પરિવારજનોની સ્પષ્ટ માંગ છે કે જ્યાં સુધી આરોપીઓ પકડાશે નહીં. ત્યાં સુધી તેઓ ધરણા ચાલુ રાખશે. સાથે જ આરોપીઓના મકાનો પર બુલડોઝર ચલાવવાની પણ માંગ ઉઠી રહી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ સમગ્ર મામલે આનંદનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ ચાલી રહી છે અને CCTV ફૂટેજના આધારે ઓળખ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જોકે, આ ઘટનાએ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. એક બાજુ પરિવાર ન્યાયની માંગ સાથે રસ્તા પર છે. તો બીજી બાજુ શહેરના નાગરિકોમાં સુરક્ષા અંગેની ચિંતાઓ વધી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.