બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વચ્ચે ગુજરાતના નેતાઓ જશે દિલ્હી, જાણો કેમ
Last Updated: 07:07 PM, 16 January 2026
ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં ગુજરાતના નેતાઓ દિલ્લી જશે. 19 જાન્યુઆરીના રોજ ગુજરાત ભાજપના નેતાઓ દિલ્લી જશે. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ દિલ્લી પ્રવાસે જશે. 19 તારીખે નીતિન નબીન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નામાંકન કરશે. 20 જાન્યુઆરીએ રાષ્ટ્રીય અધ્યક્ષના સત્તાવાર નામની જાહેરાત કરવામાં આવશે.
ADVERTISEMENT
Gujarat Local Elections: રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે. ચૂંટણીના પડઘમ વાગતા જ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની બેઠકોની અનામત ફાળવણી જાહેર કરવામાં આવી છે. જેના પગલે રાજકીય પક્ષો અને ઉમેદવારોમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
આ વખતે રાજ્યમાં કુલ 7 તાલુકા પંચાયત, 2 જિલ્લા પંચાયત અને 1 નગરપાલિકાની બેઠકોની ફાળવણી જાહેર કરાઈ છે. અનામતની આ પ્રક્રિયા મુજબ વિવિધ વર્ગો અને મહિલાઓને યોગ્ય પ્રતિનિધિત્વ મળે તે હેતુથી બેઠકોનું વિતરણ કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT

માણસા તાલુકા પંચાયતની કુલ 26 બેઠકોમાંથી 17 બેઠકો સામાન્ય જાહેર વર્ગ માટે રાખવામાં આવી છે. જ્યારે OBC વર્ગ માટે 7 બેઠકો અનામત રાખવામાં આવી છે. SC અને ST વર્ગ માટે એક-એક બેઠક ફાળવવામાં આવી છે.
ADVERTISEMENT
દહેગામ તાલુકા પંચાયતની કુલ 28 બેઠકોમાંથી 18 બેઠકો સામાન્ય રહેશે. OBC વર્ગને 8 બેઠકો અને SC તથા ST વર્ગને એક-એક બેઠક અનામત આપવામાં આવી છે.
મહિલાઓ માટે 50 ટકા અનામત
ADVERTISEMENT
રાજ્યમાં ફાળવાયેલી તમામ બેઠકોમાં 50 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. આ જોગવાઈથી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓમાં મહિલાઓની ભાગીદારી વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ADVERTISEMENT
મોડાસા, હાલોલ, જાંબુઘોડા અને હિંમતનગર તાલુકા પંચાયતની બેઠકોની પણ અનામત ફાળવણી જાહેર કરવામાં આવી છે. તે ઉપરાંત હિંમતનગર, પ્રાંતિજ અને ઈડર તાલુકા પંચાયતની બેઠકોની ફાળવણીની જાહેરાત કરવામાં આવી છે.
સાબરકાંઠા અને પંચમહાલ જિલ્લા પંચાયતોની બેઠકોની અનામત ફાળવણી પણ જાહેર થતાં જિલ્લાકક્ષાએ રાજકીય ચર્ચાઓ ગરમાઈ છે. ઉમેદવારો અને પક્ષો હવે અનામત મુજબ રણનીતિ ઘડવામાં વ્યસ્ત બન્યા છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: આ દિવસથી શરૂ થશે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર, તારીખ જાહેર કરાઈ, 26 બેઠક મળશે

સ્થાનિક સ્વરાજની ચૂંટણી લોકશાહીનું મૂળ સ્તર માનવામાં આવે છે. બેઠકોની અનામત ફાળવણી જાહેર થતાં જ રાજ્યમાં ચૂંટણી માહોલ ફરી જીવંત થશે અને આવનારા દિવસોમાં રાજકીય ગતિવિધિઓ વધુ તેજ બનશે તે નક્કી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.