ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / નેપાળમાં ફસાયેલા ગુજરાતીઓને લઈ રાજ્ય સરકારનું મોટું નિવેદન, શું બોલ્યા જીતુ વાઘાણી?
Last Updated: 08:57 PM, 27 August 2026
ADVERTISEMENT
નેપાળમાં ફસાયેલા ગુજરાતીઓને લઈ સરકાર તરફથી પ્રથમ પ્રતિક્રિયા આવી છે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ છે કે, નેપાળ દૂર્ઘટનામાં સરકાર કેન્દ્ર સરકાર સાથે સંપર્કમાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે સંપર્કમાં છે.
ADVERTISEMENT
વાઘાણીએ જણાવ્યું કે, રાજ્ય સરકારે સંપર્ક નંબર જાહેર કર્યા છે. પીએમ મોદીએ નેપાળના પીએમ સાથે ચર્ચા કરી હતી. ફસાયેલા ગુજરાતીઓની વિગતો સામે આવી છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા વિગતો મેળવાઈ રહી છે. સંપર્ક ન થયેલા લોકોની વિગતો પણ જાહેર કરાઈ છે. જિલ્લા કક્ષાએ વિગતો એકત્ર કરવામાં આવી રહી છે.

ADVERTISEMENT
નોધનીય છે કે, નેપાળમાં પૂરને કારણે ઘણા વિસ્તારોમાં પરિવહન અને સંદેશાવ્યવહાર માળખાને પણ ગંભીર અસર પડી છે. સરકારી આંકડાઓ અનુસાર 35 પુલ અને 45 ઝૂલતા પુલ ધોવાઈ ગયા છે, જેના કારણે ઘણા વિસ્તારો વચ્ચેનો સંદેશાવ્યવહાર ખોરવાઈ ગયો છે.
નેપાળ સરકારના પ્લેનેટ લેબ્સ અને લેન્ડસેટની સેટેલાઇટ તસવીરો વિશ્લેષણથી મળેલ રીપોર્ટ અનુસાર લેન્ડી નદી રાસુવાગઢી સરહદથી લગભગ 18 કિલોમીટર ઉપર વહેતી બંધ થઈ ગઈ છે. આ અવરોધને કારણે દરિયાકાંઠાના વિસ્તારમાં આશરે 0.11 ચોરસ કિલોમીટર વિસ્તારમાં એક મોટું અસ્થાઇ તળાવ બન્યું છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ Nepal flood crisis / 12 નહીં, નેપાળના જળપ્રલયમાં 18 ગુજરાતીઓ ગુમ, નામ જાહેર, જુઓ સંપૂર્ણ યાદી
ADVERTISEMENT
નેપાળ સરકારે ચેતવણી જારી કરી છે કે આ પ્રાકૃતિક તળાવના બંધ તૂટવાથી નીચાણવાળા વિસ્તારોમાં અચાનક પૂરનું જોખમ ઊભું થાય છે. વહીવટીતંત્રે નદીના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા તમામ રહેવાસીઓ અને સંબંધિત અધિકારીઓને અત્યંત સાવધાની રાખવા સૂચના આપી છે.
સંકળાયેલા મુદ્દાઓ