ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
લગ્નને લઇને ઘણીવાર એવા બનાવો બને છે કે ન પૂછો વાત. ઘણીવાર તો ખબર ન પડે કે લગ્ન કરવા ગયા છે કે આર્થિક માંગણીઓ સંતોષવા ગયા છે. ત્યારે વધુ એક કિસ્સો એવો સામે આવ્યો છે કે વરરાજાએ સ્પોર્ટ્સ બાઇક ન મળતા જાન લઇને પાછો જતો રહ્યો. દુલ્હનને એવો આઘાત લાગ્યો કે તેણે આપઘાત કરી લીધો. આ ઘટનાને લઇને ભારે ચકચાર મચી છે. ત્યારે આવો જાણીએ આ ઘટના વિશે વિગતવાર
અપાચેને બદલે સ્પ્લેન્ડર આપ્યુ તો તો઼ડ્યા લગ્ન
ADVERTISEMENT
લખનૌની આ વાત છે.નારાયણપુર ગામની આ ઘટના છે. અહીં બહાદુર અને સંધ્યા નામના બે વ્યક્તિના લગ્ન થવાના હતા. સંધ્યાના પિતા નથી એટલે તેના કાકા લગ્ન કરાવી રહ્યા હતા. તેમની આર્થિક સ્થિતિ પણ સારી ન હતી. આ વાત જાણવા છતાં પણ વરરાજાએ અપાચે બાઇકની માંગણીકરી. પરંતુ તેઓની ક્ષમતા ન હોવાથી તેઓ હોન્ડા સ્પ્લેન્ડર બાઇક આપી. આથી બહાદુરને લાગી આવતા તેણે લગ્નની ઘસીને ના પાડી દીધી અને જાન લઇને પરત ફરી ગયો.
.jpg)
ADVERTISEMENT
જયમાલા દરમિયાન સ્પ્લેન્ડર જોઇને ભડક્યો
બહાદુર અને સંધ્યાની જયમાલા થઇ તે વખતે તેની નજર સ્પ્લેન્ડર બાઇક પર પડી તો તે ગુસ્સામાં લાલચોળ થઇ ગયો અને દુલ્હનને લગ્નની ના પાડી દીધી. કન્યાપક્ષના લોકો કલાકો સુધી મનાવતા રહ્યા પરંતુ તે એકનો બે ન થયો. જાનમાં લઇને આવેલા સગા સબંધીઓને લઇને લગ્ન મંડપમાંછી નીકળી ગયો.
ADVERTISEMENT
ઘરેણા અંગે કન્યાપક્ષે ઉઠાવ્યો હતો વાંધો
વળી લગ્નમાં વરરાજા દ્વારા લાવેલા ઘરેણાં સામે છોકરીના પક્ષે વાંધો ઉઠાવ્યો અને નારાજગી વ્યક્ત કરી હતી. આ મામલે પણ ઘણી લાંબી દલીલો ચાલી હતી. જ્યારે મોડી રાત્રે જાન પરત ફરી ત્યારે સંધ્યાએ તેના રુમમાં જઇને ગળે ફાંસો ખાઇ લીધો. સંધ્યાના આત્મહત્યાના સમાચાર સામે આવતા જ પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો. પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ