ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / આર્થિક મદદથી પેન્શન અને સસ્તી લોન સુધી, ખેડૂતો માટે કામની છે આ 4 સરકારી યોજનાઓ

photo-story

6 ફોટો ગેલેરી

કામની વાત / આર્થિક મદદથી પેન્શન અને સસ્તી લોન સુધી, ખેડૂતો માટે કામની છે આ 4 સરકારી યોજનાઓ

Last Updated: 02:08 PM, 15 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ખેતીમાં રહેલી સખત મહેનત છતાં, ખેડૂતોએ ખર્ચ, હવામાનની અનિશ્ચિતતાઓ, દેવું અને વૃદ્ધાવસ્થામાં આર્થિક સુરક્ષાની જરૂરિયાત જેવા અનેક પડકારોનો સામનો કરવો પડે છે. આ સંદર્ભમાં, કેટલીક સરકારી યોજનાઓ ખેડૂતો માટે સહાયનો મોટો સ્ત્રોત સાબિત થઈ શકે છે. જો તમે ખેડૂત હોય, તો આ 4 યોજનાઓ વિશે જાણવું જરુરી છે.

1/6

photoStories-logo

1. ખેડૂતો લઇ શકે છે સરકારી યોજનાઓનો લાભ

ખેતીની આવકનો આધાર માત્ર સારા પાક પર જ હોતો નથી. ક્યારેક બિયારણ અને ખાતરનો ખર્ચ વધી જાય છે, તો ક્યારેક હવામાન ખેડૂતોની તમામ મહેનત પર પાણી ફેરવી નાખે છે અને ક્યારેક તો ખેતી માટે જરૂરી નાણાંની વ્યવસ્થા કરવી એ જ એક મોટો પડકાર બની જાય છે. આવી પરિસ્થિતિઓમાં, યોગ્ય સરકારી યોજનાઓનો લાભ મેળવવાથી ખેડૂતો પરનો આર્થિક બોજ ઘણો ઓછો થઈ શકે છે. ખાસ વાત એ છે કે, આ યોજનાઓ માત્ર કૃષિ ક્ષેત્રે સહાય જ પૂરી પાડતી નથી, પરંતુ ખેડૂતોના દેવાની સમસ્યાના નિવારણ અને તેમના વૃદ્ધાવસ્થામાં આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરવાની જોગવાઈઓ પણ ધરાવે છે. ચાલો, ખેડૂતો માટે લાભદાયક એવી આ ચાર સરકારી યોજનાઓ પર એક નજર કરીએ...

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. પીએમ કિસાન સમ્માન નિધિ

ખેતીની સીઝન દરમિયાન ખેડૂતોને બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ અને અન્ય આવશ્યક વસ્તુઓ માટે નાણાંની જરૂર હોય છે. આવા સમયે 'પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ' (PM-KISAN) યોજના મદદરૂપ સાબિત થાય છે. આ યોજના હેઠળ, કેન્દ્ર સરકાર પાત્ર ખેડૂતોને વાર્ષિક 6,000 રુપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. આ રકમ 2,000 રુપિયાના ત્રણ સમાન હપ્તામાં સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. ખેડૂતો આ રકમનો ઉપયોગ ખેતીને લગતા આવશ્યક ખર્ચ માટે કરી શકે છે. કેટલીક રાજ્ય સરકારો 'પીએમ કિસાન સન્માન નિધિ'ની રકમમાં પોતાના ભંડોળમાંથી વધારાની રકમ ઉમેરીને ખેડૂતોને વધારાની આર્થિક સહાય પણ પૂરી પાડે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના

ખેડૂતની મુખ્ય ચિંતા પાકને લગતી હોય છે. જો ભારે મહેનત અને રોકાણ કર્યા પછી પૂર, દુષ્કાળ, અતિવૃષ્ટિ કે જીવાતના ઉપદ્રવ જેવા કારણોસર પાક નાશ પામે, તો ખેડૂતો માટે નફો મેળવવાની વાત તો દૂર રહી, પરંતુ ખેતી પાછળ કરેલો ખર્ચ પણ વસૂલ કરવો મુશ્કેલ બની જાય છે. 'પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના' (PMFBY) ખાસ કરીને આવા જોખમો સામે ખેડૂતોને સુરક્ષા પૂરી પાડવા માટે બનાવવામાં આવી છે, જેના હેઠળ તેઓ નજીવું પ્રીમિયમ ભરીને પોતાના પાકનો વીમો ઉતરાવી શકે છે. સ્થાપિત નિયમો અને નુકસાનના પ્રમાણના આધારે વીમા દ્વારા આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે, જે પાક સંપૂર્ણપણે નિષ્ફળ જવાના કિસ્સામાં ખેડૂતો પરના આર્થિક બોજને કંઈક અંશે હળવો કરવામાં મદદરૂપ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. પીએમ કિસાન માનધન યોજના

ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો માટે અન્ય એક મુખ્ય ચિંતા વૃદ્ધાવસ્થામાં આર્થિક સુરક્ષાની છે. આ સંદર્ભમાં 'પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના' (PM-KMY) લાભદાયી સાબિત થઈ શકે છે. 18 થી 40 વર્ષની વયના પાત્ર નાના અને સીમાંત ખેડૂતો આ યોજનામાં જોડાઈ શકે છે. ખેડૂતો તેમની ઉંમરના આધારે માસિક ફાળો આપે છે. આ યોજનામાં 60 વર્ષની વય પૂર્ણ થયા બાદ 3,000 રુપિયાનું માસિક પેન્શન આપવાની જોગવાઈ છે. આનો અર્થ એ છે કે ખેતીમાંથી થતી આવકમાં ઘટાડો થાય તો પણ, તેઓ વૃદ્ધાવસ્થા દરમિયાન નિશ્ચિત આવક પર નિર્ભર રહી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. કિસાન ક્રેડિટ કાર્ડ

ખેડૂતોને વાવણી પહેલાં ઘણીવાર ભંડોળની જરૂર પડે છે પરંતુ સમયસર નાણાં મેળવવામાં નિષ્ફળ જાય છે. આવી પરિસ્થિતિઓમાં, કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) ખૂબ ઉપયોગી સાબિત થાય છે. તે ખેડૂતોને કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ માટે સીધી બેંકોમાંથી લોન મેળવવા સક્ષમ બનાવે છે. આ યોજના માત્ર પાક સંબંધિત જરૂરિયાતો માટે જ નહીં પરંતુ પશુપાલન જેવી પ્રવૃત્તિઓ માટે પણ નાણાકીય સહાય પૂરી પાડે છે. પાત્રતા અને લાગુ નિયમોના આધારે, ઉધાર લેનારાઓ વ્યાજમાં છૂટનો પણ લાભ લઈ શકે છે. એક મુખ્ય ફાયદો એ છે કે તે ખેડૂતોને કૃષિ ખર્ચને આવરી લેવા માટે શાહુકારો પાસેથી મોંઘી લોન પરની તેમની નિર્ભરતા ઘટાડવામાં મદદ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ખેતી માટેની ધિરાણ પૂરુ પાડશે આ યોજના

આ 4 યોજનાઓ ખેડૂતોની વિશિષ્ટ જરૂરિયાતોને સંબોધે છે. 'પીએમ-કિસાન' (PM-KISAN) ખેતીના પ્રારંભિક ખર્ચમાં સહાય પૂરી પાડે છે, જ્યારે પાક વીમા યોજના હવામાન અને અન્ય આપત્તિઓને કારણે થતા નુકસાનના જોખમને ઘટાડે છે. 'કિસાન માનધન' યોજના વૃદ્ધાવસ્થા માટે પેન્શનની સહાય પૂરી પાડે છે, જ્યારે 'કિસાન ક્રેડિટ કાર્ડ' ખેતી માટેની ધિરાણની જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

kcc financial support security pm kisan crop insurance pension govt schemes for farmers
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ