ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'પ્રેમ કરતી હોય તો લટકી જા', સરખેજમાં સગીરાના આપઘાત કેસમાં નોધાઈ ફરિયાદ
Last Updated: 03:04 PM, 15 September 2026
ADVERTISEMENT
અમદાવાદના સરખેજમાં 17 વર્ષીય સગીરાના આપઘાત કેસમાં ફરિયાદ નોંધાઈ છે. સગીરા 31 ઓગસ્ટે ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આપઘાત પહેલાં સગીરા સાથે સગીર યુવકની મિત્રતાને લઈને બોલાચાલી થઈ હોવાનો આક્ષેપ છે. સગીરની માતા નેહાબેન ગોહિલે સગીરાના ઘરે આવીને ગુસ્સો કર્યો હતો. નેહાબેન ગોહિલે 30 મિનિટ સુધી ઉગ્ર બોલાચાલી કરી માનસિક ત્રાસ આપ્યાનો આક્ષેપ કરાયો છે. માતાએ એવું પણે કહ્યું હતું કે પ્રેમ કરતી હોય તો લટકી જા તેવું કહીને આપઘાત માટે ઉશ્કેરી હતી. માનસિક ત્રાસથી દુષ્પ્રેરાઈ સગીરાએ આપઘાત કર્યો હોવાનો પિતાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે.
ADVERTISEMENT
ઘટના સમયે માતાપિતા નોકરી પર
ADVERTISEMENT
ઘટનાના સમયે સગીરાના માતા-પિતા બંને નોકરી પર ગયા હતા, જ્યારે દાદા અને સગીરા ઘરે હાજર હતા.સગીરાના પિતાએ સરખેજ પોલીસ સ્ટેશનમાં નેહાબેન ગોહિલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
11 જુને પણ આવો જ બનાવ
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે 11 જુન 2026ના રોજ આવો જ એક બનાવ બન્યો હતો જેમાં 22 વર્ષના પારસ ગુપ્તા ઉર્ફે માતા પ્રસાદે રવિવારે સાંજે પોતાના રૂમમાં ફાંસી લગાવી લીધી હતી. લાંબા સમય સુધી તે રૂમમાંથી બહાર ન આવતા તેનો પુત્ર જીગરને બોલાવવા ગયો હતો. અનેકવાર ફોન કરવા છતાં પણ કોઈ જવાબ ન મળતાં તેણે બારીમાંથી ડોકિયું કર્યું. પિતાને અંદર ફાંસીથી લટકતા જોઈને તેણે ચીસો પાડી. માહિતી મળતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. દરવાજો તોડી લાશ બહાર કાઢી. તલાશી દરમિયાન તેની પાસેથી છ પાનાની સુસાઈડ નોટ મળી આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.