ભગવાન ભોળીયાનાથ શિવને ભજવાનો મહિનો એટલે શ્રાવણ. શાસ્ત્રમાં કહેવાયું છે કે શિવ આ મહિના સૌથી વધુ પ્રસન્ન થાય છે. ભગવાન શિવની જેના પર સવારી કરતાં એ પોઠિયો જેને નંદી પણ કહેવાય છે તે ગુજરાતની કાંકરેજ પ્રજાતિની ગાયનો છે.
દંતકથાઓમાં ઉલ્લેખ છે કે શિવજીની અતુટ સવારી સમાન પોઠિયો ગુજરાત અને રાજસ્થાની મુળ ભારતીય દેશી ગાયની કાંકરેજ પ્રજાતિનો છે. કાંકરેજએ ઉતર ગુજરાત અને કચ્છમાં જોવા મળતી ભારતીય દેશી ગાય છે. એવું કહેવાયું છે કે અનાદિકાળ પહેલાં ભારતમાં જોવા મળતી 50થી વધુ પ્રજાતિની દેશી ગાયમાંથી શિવજીએ ગુજરાતની કાંકરેજ ગાયના નંદીને જ પોતાના વાહન તરીકે પસંદ કર્યું છે.
કાંકરેજ ગાય ખુબ રૂપાણી, ઉંચી અને હરણ જેવી સુદર દેખાય છે જ્યારે તેના શીંગડા પણ ખૂબ ધારદાર હોય છે. હિંદુ ધર્મમાં એવું કહેવાયું છે કે કોઈ પણ શિવ મંદિરમાં ભગવાનના દર્શન કરતાં પહેલાં પોઠિયા (નંદી)ની એપોઈન્ટમેન્ટ (પરમીશન) લેવી જરૂરી છે. નંદીની પરમીશન પછી જ તમે શિવજીના ગર્ભગૃહમાં પ્રવેશી શકો.