બ્રેકિંગ ન્યુઝ
આ વર્ષે ગણેશ ચતુર્થીનો પર્વ ભગવાન ગણેશના જન્મોત્સવના રૂપથી ઉજવવામાં આવે છે. આ તહેવારના દેશભરમાં ખાસ કરીને મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં ખાસ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે ભક્તો ગણપતિ બાપ્પાને મૂર્તિ ઘરે લઇને તેમનુ આદર-સત્કાર કરે છે, પછી 10 દિવસો બાદ એટલે કે અનંત ચતુર્દશીના વિસર્જનની સાથે મંગલમૂર્તિ ભગવાન ગણેશજીની વિદાય કરવામાં આવે છે. સોશ્યલ મીડિયા પર યૂઝર્સ ઇકો-ફ્રેન્ડલી ગણેશ ચતુર્થી ઉજવવા માટે રિકવેસ્ટ કરી રહ્યા છે. એવામાં મેંગ્લોરૂના નિતિન વજે કાગળાના ટૂકડાઓ અને બીજથી ગણેશજીની મૂર્તિ બનાવી છે, જે વિસર્જન પછી ઝાડ બની જશે.
ADVERTISEMENT
Mangaluru-based Nithin Vaj has made Lord Ganesha idol from eco-friendly paper-pulp&seeds; says, "We've not used toxic paints or any other toxic materials. This idol is embedded with vegetable seeds & fruit seeds. It'll grow into a plant after it is dissolved in water". #Karnataka pic.twitter.com/lsVJJb0ll4
— ANI (@ANI) August 28, 2019
ADVERTISEMENT
આ મૂર્તિમાં શાકભાજી, ફળો અને ઝાડના બીજનો ઉપયોગ કરવામાં આવે છે. આ મૂર્તિ સરળતાથી પાણીમાં પીગળી જશે. નિતિને જણાવ્યુ કે, ''મૂર્તિમાં જૂના છાપા અને પુસ્તકોથી બનાવવામાં આવી છે, આમાં કોઇ ઝેરીલા પેન્ટ અથવા તો કોઇ ઝેરીલા પદાર્થનો ઉપયોગ કરવામા આવ્યો નથી. આ સાથે જ મૂર્તિમાં શાકભાજી અને ફળના બીજ નાખવામાં આવ્યા છે, જેથી પાણીમાં પલાળ્યા પછી એક ઝાડના રૂપમાં બદલાઇ જશે.''
ADVERTISEMENT
નિતિને આગળ કહ્યુ કે, ''અમે આ વર્ષે 30-40 મૂર્તિ બનાવી છે. આ વર્ષે મેંગ્લોરૂમાં માંગ એટલી વધારે નથી, પરંતુ અમે આશા કરીએ છીએ કે આગામી વર્ષે વધારો થાય.''
ટ્વિટર પર યૂઝર્સ નિતિનના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. યૂઝર્સ લખી રહ્યા છે કે, ''આ વાસ્તવમાં આશ્ચર્યજનક છે, આ નાના પગલાથી નિશ્ચિત રૂપથી પ્રદુષણ ઓછી થઇ જશે.'' તો અન્ય એક યૂઝરે કહ્યુ, ''OMG, આ સફળ થાય.''
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.