બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / Ganesha Chaturthi 2019: Man makes Ganpati idols that grow into plants

અનોખું / આ વ્યકિતએ એવી બનાવી ગણેશજીની મૂર્તિ કે વિસર્જન પછી બની જશે ઝાડ

Published By: Juhi

Last Updated: 05:13 PM, 31 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગણેશ ચતુર્થી 2 સપ્ટેમ્બરના ઉજવવામાં આવશે. 2 સપ્ટેમ્બરના લોકો ભગવાન ગણેશજીની મૂર્તિ ઘરમાં સ્થાપિત કરશે અને 10 દિવસ સુધી ગણેશ ઉત્સવ ઉજવશે.

આ વર્ષે ગણેશ ચતુર્થીનો પર્વ ભગવાન ગણેશના જન્મોત્સવના રૂપથી ઉજવવામાં આવે છે. આ તહેવારના દેશભરમાં ખાસ કરીને મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં ખાસ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે ભક્તો ગણપતિ બાપ્પાને મૂર્તિ ઘરે લઇને તેમનુ આદર-સત્કાર કરે છે, પછી 10 દિવસો બાદ એટલે કે અનંત ચતુર્દશીના વિસર્જનની સાથે મંગલમૂર્તિ ભગવાન ગણેશજીની વિદાય કરવામાં આવે છે. સોશ્યલ મીડિયા પર યૂઝર્સ ઇકો-ફ્રેન્ડલી ગણેશ ચતુર્થી ઉજવવા માટે રિકવેસ્ટ કરી રહ્યા છે. એવામાં મેંગ્લોરૂના નિતિન વજે કાગળાના ટૂકડાઓ અને બીજથી ગણેશજીની મૂર્તિ બનાવી છે, જે વિસર્જન પછી ઝાડ બની જશે. 

 

આ મૂર્તિમાં શાકભાજી, ફળો અને ઝાડના બીજનો ઉપયોગ કરવામાં આવે છે. આ મૂર્તિ સરળતાથી પાણીમાં પીગળી જશે. નિતિને જણાવ્યુ કે, ''મૂર્તિમાં જૂના છાપા અને પુસ્તકોથી બનાવવામાં આવી છે, આમાં કોઇ ઝેરીલા પેન્ટ અથવા તો કોઇ ઝેરીલા પદાર્થનો ઉપયોગ કરવામા આવ્યો નથી. આ સાથે જ મૂર્તિમાં શાકભાજી અને ફળના બીજ નાખવામાં આવ્યા છે, જેથી પાણીમાં પલાળ્યા પછી એક ઝાડના રૂપમાં બદલાઇ જશે.''

નિતિને આગળ કહ્યુ કે, ''અમે આ વર્ષે 30-40 મૂર્તિ બનાવી છે. આ વર્ષે મેંગ્લોરૂમાં માંગ એટલી વધારે નથી, પરંતુ અમે આશા કરીએ છીએ કે આગામી વર્ષે વધારો થાય.''

ટ્વિટર પર યૂઝર્સ નિતિનના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. યૂઝર્સ લખી રહ્યા છે કે, ''આ વાસ્તવમાં આશ્ચર્યજનક છે, આ નાના પગલાથી નિશ્ચિત રૂપથી પ્રદુષણ ઓછી થઇ જશે.'' તો અન્ય એક યૂઝરે કહ્યુ, ''OMG, આ સફળ થાય.''

સંકળાયેલા મુદ્દાઓ

Ganesh Chaturthi 2019 lifestyle ગણપતિજી Ganesh Utsav 2019

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ