બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Ganesh temple is situated in Ganesh Ashram in Agiali village of Sihore

દેવદર્શન / ગુજરાતના આ મંદિર ધમધમે છે પ્રાકૃતિક ખેતીથી બનેલી વાનગીના રસોડા, સમૂહલગ્નથી ઓળખ

Vishal Khamar

Last Updated: 07:25 AM, 4 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સિહોરના અગીયાળી ગામે ગણેશ આશ્રમ આવેલો છે. આ આશ્રમમાં ગણેશજીનું મંદિર આવેલું છે. ભક્તિની સાથે અન્નક્ષેત્ર અને ગૌ સેવા પણ કરવામાં આવે છે.

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં અગીયાળી ગામે વાડી વિસ્તારમાં સુંદર રમણીય પર્વતો વચ્ચે ગણેશ આશ્રમ આવેલો છે.આશ્રમમાં ગણેશજીનુ મંદિર આવેલું છે. જ્યાં ભક્તિની સાથે અન્નક્ષેત્ર અને ગૌ સેવા પણ કરવામાં આવે છે.મંદિરે ગણેશ ચતુર્થી સહિત અન્ય તહેવારો ભારે ધામધૂમ પૂર્વક હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. ગણેજીના દર્શન કરવા ભાવિકો મંદિરે શ્રદ્ધા આસ્થા સાથે આવે છે અને ગણેશજી સૌની મનોકામના પણ પૂર્ણ કરે છે. 

સિહોરના અગીયાળી ગામે ગણેશ આશ્રમ
ભાવનગરનું સિહોર ગામ ગોહિલવાડની રાજધાની હતી અને તે સમયે ગામમાં અનેક દેવદેવીઓના મંદિરો આવેલા હતા જેમાં કેટલાક મંદિરોનો સમયાંતરે વિકાસ થતો રહ્યો.સિહોરના અગીયાળી ગામે આવેલા ગણેશ આશ્રમના પટાંગણમાં ગણેશજીનું મંદિર આવેલું છે. ભાવનગરથી 30 કિલોમીટર દૂર આવેલુ મંદિર વાડીવિસ્તારમાં આવેલું છે મંદિર આસપાસ આવેલા ડુંગરોથી મંદિરનો વિસ્તાર નયનરમ્ય લાગે છે.મંદિરની સ્થાપના અગીયાળી ગામના બ્રહ્મચારી બાપુએ કરી હતી.2004માં બ્રહ્મચારી બાપુએ સેવકોના સહયોગથી શિખરબંધ મંદિર બનાવ્યું. સિહોરના અગીયાળી ગામે આવેલુ ગણેશજીનુ શિખરબંધ મંદિર આરસપ્હાણથી બનાવેલુ છે.મંદિરે દૂર દૂરથી ભાવિકો દાદાના દર્શન માટે ઉમટી પડે છે.અગીયાળી ગામની ચારે તરફ પથરાયેલી લીલોતરીની ચાદર અને આ જ કુદરતી સાનિધ્યમાં બિરાજમાન ગણપતિદાદાના દર્શન મનને શાંતિ પ્રદાન કરે છે. 

ભક્તિની સાથે અન્નક્ષેત્ર અને ગૌ સેવા 
ગણપતિદાદાના મંદિરે દર ચોથના દિવસે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે દર્શનાર્થીઓ દાદાના દર્શન કરી ધન્ય થાય છે અને પોતાની માનેલી માનતા પણ પૂર્ણ કરે છે.મંદિરે આવતા યાત્રિકો માટે ઉતારા તેમજ ભોજનની સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે મંદિરે આવતા ભાવિકો અન્નક્ષેત્રમાં ભોજનને પ્રસાદરુપે લઈ સંતોષની લાગણીનો અહેસાસ કરે છે. અગીયાળી ગામે આવેલ શ્રી ગણેશ આશ્રમમાં ભક્તિની સાથે સમાજ સેવાના સુંદર કામો પણ કરવામાં આવે છે.સર્વ રોગ નિદાન કેમ્પ અને સમૂહલગ્નના આયોજન પણ કરવામાં આવે છે. ભક્તજનો પોતાની માનતા પૂર્ણ કરવા માટે આવે છે અને રડતા આવેલા ભક્તો પોતાની મનોકામના સિદ્ધ થતા હસતા મોઢે ઘરે ફરે છે.

2004માં બ્રહ્મચારી બાપુએ સેવકોના સહયોગથી મંદિર બનાવ્યું
ગણપતિ મંદિરે ગણેશ ચતુર્થી, જન્માષ્ટમી, રામનવમી અને પાટોત્સવ સહિતના અનેક કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવે છે અને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આશ્રમમાં આવેલી ગૌશાળા તેમજ મંદિરે આવતા ભક્તજનો માટે આશ્રમના પોતાના ખેતરમાં જ તમામ પાક અને શાકભાજી ઉગાડવામાં આવે છે.  ગણેશ મંદિરની સાથે ગૌશાળા અને અન્નક્ષેત્ર પણ આવેલા છે ગૌશાળામાં 25 થી વધુ ગાયની સેવા કરવામાં આવે છે. ગાયોની સેવા માટે સેવકો સતત કાર્યરત રહે છે. ખેતરમાં થતી પ્રાકૃતિક ખેતીના કારણે મંદિરે આવતા ભાવિકોને પ્રસાદમાં શુદ્ધ ભોજન પીરસવામાં આવે છે.

મંદિરમાં બિરાજમાન ગણેશજી સૌ ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોઈ લોકોમાં અતૂટ શ્રદ્ધા છે મંદિરે દિવસમાં બે વાર આરતી કરવામાં આવે છે અને માત્ર ભાવનગર જિલ્લો જ નહીં અન્ય શહેરોમાંથી પણ લોકો દાદાના દર્શનાર્થે ઉમટી પડે છે .

સંકળાયેલા મુદ્દાઓ

Bhavnagar District Ganesh Temple Sihore Taluk dev Darshan ગણેશજીનું મંદિર દેવ દર્શન ભાવનગર જીલ્લો સિહોર તાલુકો DEV DARSHAN
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ