બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:23 AM, 24 January 2026
ઓશિવારા ગોળીબાર કેસના સંદર્ભમાં અભિનેતા અને પોતાને ક્રિટિક ગણાવતા કમાલ આર. ખાન KRK ની ઓશિવારા પોલીસે શુક્રવારે મોડી રાતે ધરપકડ કરી લીધી. ઓશિવારા ગોળીબાર કેસમાં તે મુખ્ય શંકાસ્પદ છે. શુક્રવારે મોડી સાંજે કેઆરકેને ઓશિવારા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા. પોલીસે જણાવ્યું કે કેઆરકેએ તેના નિવેદનમાં ગોળીબારની વાત સ્વીકારી લીધી છે અને કહ્યું છે કે તેમણે લાઇસન્સવાળી બંદૂકનો ઉપયોગ કર્યો હતો. પરંતુ તેમણે કહ્યું કે તેમનો કોઈને નુકસાન પહોંચાડવાનો ઈરાદો નહોતો. પોલીસના જણાવ્યા અનુસાર, કમાલ આર. ખાનને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યાં પોલીસ રિમાન્ડની માંગ કરવામાં આવી શકે છે.
ADVERTISEMENT
કેઆરકેએ દાવો તેમની બંદૂક લાયસન્સવાળી છે. પોલીસ તેમના આ દાવાની તપાસ કરી રહી છે. પોલીસે જણાવ્યું કે કેઆરની બંદૂક જપ્ત કરી લેવામાં આવી છે અને આગળની કાર્યવાહી માટે કાગળકામ ચાલી રહ્યું છે. અહેવાલો પ્રમાણે, આ ઘટના 18 જાન્યુઆરીના રોજ બની હતી, જેમાં અંધેરીના ઓશિવારામાં એક રહેણાંક મકાન પર બે ગોળી ચલાવવામાં આવી હતી. નાલંદા સોસાયટીમાંથી બે ગોળીઓ મળી આવી હતી: એક બીજા માળેથી અને બીજી ચોથા માળેથી. એક ફ્લેટ લેખક-દિગ્દર્શકનો છે, અને બીજો એક મોડેલનો છે.
મુંબઈના ઓશિવારા વિસ્તારમાં એક લેખક-દિગ્દર્શક અને એક સ્ટ્રગલિંગ મોડેલના ઘર પર ગોળીબારથી વ્યાપક અફડાતફડી મચી ગઈ હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. માહિતી પ્રમાણે, નાલંદા સોસાયટીના બીજા માળે લેખક અને દિગ્દર્શક નીરજ કુમાર મિશ્રા (45) રહે છે, જ્યારે ચોથા માળે સ્ટ્રગલિંગ મોડેલ પ્રતિક બૈદ (29) રહે છે. ગોળીબાર પછી બીજા અને ચોથા માળે ફ્લેટમાં ગોળીઓના નિશાન મળી આવ્યા હતા.
ADVERTISEMENT
ઓશિવારા પોલીસ સ્ટેશનની 18 સભ્યોની ટીમ, ક્રાઈમ બ્રાન્ચની ઘણી ટીમો સાથે તપાસમાં સામેલ હતી. શરૂઆતની તપાસમાં સીસીટીવી ફૂટેજમાંથી કોઈ નક્કર પુરાવા ન મળ્યા. આ પછી, ફોરેન્સિક ટીમની મદદથી, પોલીસે તારણ કાઢ્યું કે ગોળી કમાલ આર. ખાનના બંગલાની દિશામાંથી ચલાવવામાં આવી હોઈ શકે છે.

ADVERTISEMENT
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે સમગ્ર કેસ માટે કાગળકામ હાલમાં ચાલી રહ્યું છે, અને કોર્ટમાં હાજરી દરમિયાન પોલીસ રિમાન્ડ માંગવામાં આવી શકે છે. ગોળીબાર પાછળના સંજોગો અને કારણોની તપાસ કરવા માટે આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવશે.
ADVERTISEMENT
આ પણ વાંચો: ગુજરાતી રંગભૂમિને મોટો આઘાત: દિગ્ગજ કલાકાર રાજુ બારોટનું 76 વર્ષે અવસાન
ADVERTISEMENT
કમાલ આર. ખાન (કેઆરકે) એક ભારતીય ફિલ્મ પર્સનાલિટી, અભિનેતા, નિર્માતા, લેખક અને ઇન્ટરનેટ કોમેન્ટેટર છે, જે બોલીવુડ અને સોશિયલ મીડિયા પર તેમના વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા છે. કેઆરકેએ 2008ની ફિલ્મ 'દેશદ્રોહી'માં નિર્માણ, લેખન અને અભિનય કર્યા પછી લોકપ્રિયતા મેળવી હતી. કેઆરકે બિગ બોસ સીઝન 3 (2009)માં દેખાયા હતા, જેના કારણે તેમને વધુ ખ્યાતિ મળી. બાદમાં તેમણે એક વિલન (2014)માં સહાયક ભૂમિકા ભજવી હતી. હાલમાં તેઓ યુટ્યુબ અને એક્સ પર સ્વ-ઘોષિત ફિલ્મ વિવેચક તરીકે જાણીતા છે, જ્યાં તેમના તીખા રિવ્યુ અને સેલિબ્રિટીઓ પર પર્સનલ એટેક ઘણીવાર ચર્ચા અને કાનૂની વિવાદોને સ્પાર્ક કરતાં રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.