બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / જગતના તાત સાથે દગો, માર્કેટમાં ફરતાં હતાં નકલી બિયારણ અને ખાતર, અમરેલીમાંથી 4ને દબોચ્યા

ગાંધીનગર / જગતના તાત સાથે દગો, માર્કેટમાં ફરતાં હતાં નકલી બિયારણ અને ખાતર, અમરેલીમાંથી 4ને દબોચ્યા

Vishal Khamar

Last Updated: 10:39 PM, 6 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના ખેડૂતોને આર્થિક નુકસાન પહોંચાડતા અને છેતરપિંડી કરતા તત્વો સામે રાજ્ય સરકારે લાલ આંખ કરી છે. ડુપ્લીકેટ ખાતર-બિયારણ વેચનારાઓ સામે PBM એક્ટ હેઠળ કાર્યવાહી કરી ૪ શખ્સોને ડિટેઇન કરી જેલ હવાલે કરાયા છે.

ગુજરાતના ખેડૂતોને આર્થિક નુકસાન પહોંચાડતા અને છેતરપિંડી કરતા તત્વો સામે રાજ્ય સરકારે લાલ આંખ કરી છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના સીધા આદેશ હેઠળ, રાજ્યમાં ખાતર અને બિયારણના વેચાણમાં ગેરરીતિ, કાળાબજારી અને ડુપ્લીકેટ બનાવટો વેચતા વિક્રેતાઓ સામે “ધ પ્રિવેન્શન ઑફ બ્લેક માર્કેટિંગ એન્ડ મેઈન્ટેનન્સ ઓફ સપ્લાઇ ઓફ એસેન્શિયલ કોમોડિટી (PBM) એક્ટ- ૧૯૮૦” હેઠળ સખત કાર્યવાહી કરવામાં આવી છે.

આ કાર્યવાહી અંગે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લામાં ડુપ્લીકેટ ખાતરના વેચાણ અંગે થયેલી તપાસના અંતે જવાબદારો સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. જેમાં, ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને તેમાં સંડોવાયેલા કુલ ૪ ઇસમો વિરુદ્ધ 'PBM એક્ટ’ હેઠળ ગુનો નોંધી, તેમને ડિટેઇન કરી જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે.

મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, ખાતર અને બિયારણના ડુપ્લીકેટ વેચાણના કેસમાં વારંવાર ગેરરીતિ કરનાર સામે આ પ્રકારની સખત કાયદાકીય જોગવાઈનો અમલ કરવામાં આવશે.

કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, અમે અગાઉ જ સ્પષ્ટ કર્યું હતું કે જગતના તાત સાથે છેતરપિંડી કરનારાઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સરકાર જરા પણ સાંખી નહીં લે. ગેરકાયદેસર, પ્રતિબંધિત કે ઓછી ગુણવત્તાવાળી કૃષિ સામગ્રી વેચનારાઓ સામે હવે માત્ર લાયસન્સ રદ કરવાની જ નહીં, પણ વારંવાર ગેરરીતિ આચરતા ઇસમો સામે PBM એક્ટ હેઠળ જેલ ભેગા કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.

ખાતર અને બિયારણ એ ખેડૂત માટે પાયાની જરૂરિયાત છે અને તેમાં ડુપ્લીકેટ માલ વેચી ખેડૂતોનો પાક અને મહેનત બરબાદ કરનારાઓ સામે આ માત્ર શરૂઆત છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ જ્યાં આવી ફરિયાદો હશે ત્યાં તપાસ કરીને આગામી સમયમાં આ જ પ્રકારના કડક ગુનાઓ દાખલ કરવામાં આવશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

મંત્રીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જે કોઈ પણ વિક્રેતા કાળાબજારી કે નકલી ચીજવસ્તુઓના વેચાણમાં સંડોવાયેલા જણાશે, તેમની સામે સરકાર જરા પણ દયા રાખશે નહીં અને PBM એક્ટ જેવા સખત કાયદા હેઠળ જેલની સજા કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે ગેરરીતિ કરનાર ૬૮ ખાતર વિક્રેતા, ૧૭ બિયારણ વિક્રેતા અને ૧૩ જંતુનાશક દવાઓના વિક્રેતા મળી કુલ ૯૮ વિક્રેતાઓના લાયસન્સ સ્થગિત કે રદ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં થશે જ્ઞાન સહાયકની ભરતી, જાણો કેટલો મળશે પગાર?

કૃષિ મંત્રીએ રાજ્યના તમામ ખેડૂતોને ખાતરી આપી છે કે, સરકાર રાત-દિવસ તેમના હિત માટે કાર્યરત છે. ડુપ્લીકેટ માલ વેચી ખેડૂતોને આર્થિક નુકસાન પહોંચાડનારા તત્વો સામે સરકારની લડાઈ જારી રહેશે, જેથી ખેડૂતોને માત્ર શ્રેષ્ઠ અને શુદ્ધ કૃષિ ઉત્પાદનો જ પ્રાપ્ત થાય.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

duplicate fertilizer Amreli Amreli news
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ