બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં યુ.એન. મહેતા હોસ્પિટલના બેઝમેન્ટમાં ડ્રેનેજમાં પડેલા 3 શ્રમિકોનું સફળ રેસ્ક્યૂ

દુર્ઘટના / અમદાવાદમાં યુ.એન. મહેતા હોસ્પિટલના બેઝમેન્ટમાં ડ્રેનેજમાં પડેલા 3 શ્રમિકોનું સફળ રેસ્ક્યૂ

Vishal Khamar

Last Updated: 09:21 PM, 6 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરમાં આજે એક અકસ્માતની ઘટના સામે આવી, જેમાં યુ.એન. મહેતા હોસ્પિટલના બેઝમેન્ટમાં કામ કરી રહેલા ત્રણ શ્રમિકો અચાનક ડ્રેનેજમાં પડી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.

અમદાવાદ શહેરની યુ.એન. મહેતા હોસ્પિટલના કેમ્પસમાં આવેલી ડ્રેનેજ પાઇપલાઇનમાં કામ દરમિયાન ગંભીર અકસ્માત સર્જાયો હતો. બેઝમેન્ટમાં આવેલી ડ્રેનેજ લાઇનમાં ત્રણ શ્રમિકો ફસાઈ જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

એક શ્રમિકનું સંતુલન બગડતાં તે પાઇપલાઇનમાં પડ્યો

પ્રાથમિક માહિતી મુજબ, હોસ્પિટલના બેઝમેન્ટમાં ડ્રેનેજ લાઇનની સફાઈ અથવા સમારકામનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન એક શ્રમિકનું સંતુલન બગડતાં તે પાઇપલાઇનમાં પડી ગયો હતો. તેને બચાવવાના પ્રયાસમાં અન્ય બે શ્રમિકો પણ અંદર ઉતર્યા, પરંતુ અંદર ઝેરી ગેસ અથવા ઓક્સિજનના અભાવને કારણે ત્રણેય મુશ્કેલીમાં મુકાઈ ગયા.

એક શ્રમિકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો

ઘટના દરમિયાન અંદર રહેલા એક શ્રમિકે બૂમાબૂમ કરતાં હોસ્પિટલ સ્ટાફ અને આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ એક શ્રમિકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. જોકે, બાકીના બે શ્રમિકો પાઇપલાઇનમાં અંદર સુધી ફસાઈ ગયા હતા.

ત્યારબાદ ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમે ઓક્સિજન સિલિન્ડર અને વિશેષ સુરક્ષા સાધનોની મદદથી અંદર પ્રવેશ કરીને બંને શ્રમિકોને સફળતાપૂર્વક બહાર કાઢ્યા હતા. ઝેરી ગેસની અસર અને ગૂંગળામણને કારણે બંનેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તેમની સ્થિતિ અંગે તબીબોની દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી છે.

મેયર અને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન ઘટના સ્થળે પહોંચ્યો

ઘટનાની જાણ થતાં શહેરના મેયર હિતેશ બારોટ તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ હોસ્પિટલ પહોંચવા રવાના થયા હતા અને સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી. હોસ્પિટલ જેવા સંવેદનશીલ વિસ્તારમાં બનેલી આ ઘટનાને ધ્યાનમાં રાખીને ડ્રેનેજ લાઇનમાં કામ દરમિયાન સુરક્ષા નિયમોનું પાલન થયું હતું કે નહીં તે મુદ્દે તપાસ હાથ ધરાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ પાટીદાર અનામત આંદોલનને 11 વર્ષ પૂર્ણ, લાલજી પટેલના આંદોલનના નામે રાજકારણ કરનારાઓ પર આકરા પ્રહાર

પ્રાથમિક રીતે ઘટનાનું કારણ ઝેરી ગેસ અથવા સુરક્ષા વ્યવસ્થાના અભાવ સાથે જોડાયેલું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અધિકારીઓ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને તપાસ બાદ જ અકસ્માતનું ચોક્કસ કારણ સામે આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad UN Mehta Ahmedabad News
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ