બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પાટીદાર અનામત આંદોલનને 11 વર્ષ પૂર્ણ, લાલજી પટેલના આંદોલનના નામે રાજકારણ કરનારાઓ પર આકરા પ્રહાર
Last Updated: 06:56 PM, 6 July 2026
પાટીદાર અનામત આંદોલનને આજે 11 વર્ષ પૂર્ણ થતાં સમગ્ર રાજ્યમાં આંદોલનની યાદો તાજી બની છે. આ અવસરે એસપીજી (SPG)ના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે આંદોલનના નામે રાજકીય લાભ મેળવનારાઓ પર આકરા પ્રહાર કર્યા.
ADVERTISEMENT
લાલજી પટેલે જણાવ્યું કે, આંદોલનની શરૂઆતના સમયમાં હાર્દિક પટેલને કોઈ ખાસ ઓળખતું નહોતું, પરંતુ આંદોલન બાદ તેઓ રાજ્યભરમાં જાણીતા નેતા તરીકે ઉભરી આવ્યા. તેમણે દાવો કર્યો કે, તે સમયની પોલીસ ફરિયાદમાં હાર્દિક પટેલનું સરનામું વિસનગર દર્શાવવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
તેમણે વધુમાં કહ્યું કે, પાટીદાર અનામત આંદોલન દરમિયાન સમાજના 14 યુવાનોએ જીવ ગુમાવ્યો હતો અને તેમની શહાદતને સમાજ ક્યારેય ભૂલી શકે તેમ નથી. લાલજી પટેલના જણાવ્યા અનુસાર, આંદોલનનો સૌથી મોટો ભોગ સમાજે આપ્યો, જ્યારે કેટલાક લોકોને તેમાંથી રાજકીય અને વ્યક્તિગત લાભ મળ્યો.
તેમણે આક્ષેપ કર્યો કે, આંદોલન બાદ નેતા તરીકે ઉભરી આવેલા કેટલાક લોકો આજે વૈભવી જીવન જીવી રહ્યા છે, જ્યારે શહીદ પરિવારો હજુ પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, આંદોલનના નામે "રોટલા શેકનારા" લોકો સામે સમાજે સાવચેત રહેવાની જરૂર છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ વસ્ત્રાલ મારામારીની ઘટનામાં મોટો વળાંક, ગર્લફ્રેન્ડના પૂર્વ પ્રેમીએ કર્યો હતો હુમલો
લાલજી પટેલે અંતમાં શહીદ યુવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને સમાજને તેમના બલિદાનને યાદ રાખીને એકતા જાળવવાની અપીલ કરી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.